SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમા શતકની કૃતિઓ તો આખ્યાનના નિકટવર્તી રૂપ જેવી છે. આ પ્રમાણે નાજુક કદના રાસાઓ ઉત્તરકાલીન સમયમાં તેમાં અવારનવાર કથાઓ ભળતાં મહાકાવ્ય જેવા વિશાળ બન્યા. આમ, છતાં તેમાં વિષયોનું વૈવિધ્ય તો પ્રચુર માત્રામાં જોવા મળતું. વિષયોની વિવિધતાને ધ્યાનમાં રાખી બરાસ' ગ્રંથોનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય? રાસ કથાત્મક તીર્થાત્મક ઉપદેશાત્મક પ્રકીર્ણ ધાર્મિક ચરિત્રાત્મક લોકિક પૌરાણિક ઐતિહાસિક તાત્ત્વિક સ્તુત્યાત્મક પ્રતિમા પૂજાત્મક પ્રતિષ્ઠિત ધાર્મિક કથાત્મક – જેમાં કોઈ એક જ પાત્ર નાયક પદે હોતું નથી – “ભરતેશ્વર – બાહુબલી રાસ' ચરિત્ર કથાત્મક – જેમાં ધાર્મિક પુરુષોના ચરિત્ર કે તત્કાલીન ધર્મપુરુષોના ચરિત્ર હોય તેના ત્રણ ભાગ છે. લૌકિક – જેમાં કાલ્પનિક કથા હોય – સંદેશક – રાસ પૌરાણિક – જેમાં પ્રાચીન ધર્મપુરુષના ચરિત્ર હોય – નેમિરાસ’ ઐતિહાસિક – જેમાં છેલ્લા હજાર વર્ષોમાં વ્યક્તિવિશેષને કેન્દ્રમાં રાખીને નિરૂપાયેલા ચરિત્ર હોય – “સમરાસુ, પેથડરાસુ, “વસ્તુપાલ-તેજપાલ રાસ', “પૃથુરાજ રાસો' ઇત્યાદિ તીર્થાત્મક રાસ – જેમાં તીર્થોને કેન્દ્રમાં રાખી નિરૂપણ હોય – “રેવન્તગિરિ રાસુ “કછુલીરાસ” ઇત્યાદિ ઉપદેશાત્મક રાસ – જેમાં તત્ત્વનો ઉપદેશ અપાયો હોય – ‘જીવદયારાસ', બુદ્ધિરાસ” 16 * જૈન ચસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy