________________
૨૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ભાવતઃ વસ્તુની અનંતધર્માત્મકતા(18) :
(19)ભાવની અપેક્ષાએ વિચારીએ તો સુવર્ણઘટ પીતવર્ણથી વિદ્યમાન છે. પરંતુ નીલાદિવર્ણોથી અવિદ્યમાન છે. તે પીતઘટ પણ અન્ય પીતદ્રવ્યની અપેક્ષાએ એકગુણ પીત છે. તે જ પીતઘટ બીજા કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ દ્વિગુણપીત છે અને ત્રીજા કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ ત્રિગુણપીત છે. તે રીતે ત્યાં સુધી પણ કહી શકાય છે કે પીતઘટ અન્ય પીતદ્રવ્યની અપેક્ષાએ અનંતગુણપીત પણ છે.
તે જ રીતે પીતઘટ અન્ય પીતદ્રવ્યથી એકગુણહીનપીત છે. એજ રીતે દ્વિગુણહીનપીત અને યાવત્ અનંતગુણહીનપીત પણ છે. આથી આ રીતે પીતત્વન ઘટના અનંતા સ્વપર્યાય પ્રાપ્ત થાય છે. પીતવર્ણની જેમ તરતમતાથી નીલ, રક્ત આદિ વર્ણ અનંતપ્રકારના હોવાથી પીતઘટની નીલાદિ અનંત વર્ષોથી વ્યાવૃત્તિ થવાના કારણે પીતઘટના પરપર્યાય પણ અનંતા છે.
આ જ રીતે ૨સતઃ (રસની અપેક્ષાએ) પણ પીતઘટના સ્વમધુરાદિ૨સની અપેક્ષાએ પીતવર્ણની જેમ સ્વપર્યાય અને ૫૨૫ર્યાય અનંત
જાણવા.
એ જ રીતે ગન્ધની અને આઠ સ્પર્શની અપેક્ષાએ પણ પીતઘટના સ્વ-પર અનંતા પર્યાયો જાણવા.
શબ્દતઃ વસ્તુની અનંતધર્માત્મકતા20) :
-
શબ્દની અપેક્ષાએ (અનેક પ્રદેશોની અપેક્ષાથી) ઘટ, કલશ,
18. મૂળ પાઠ ષ.સમુ. બૃહદ્વૃત્તિ-શ્લોક-૫૫ની ટીકામાંથી જોઈ લેવા ભલામણ. 19. જૈન દર્શનમાં ‘ભાવ' શબ્દ અનેક અર્થમાં પ્રયોજાય છે. અહીં વસ્તુના રૂપ, રસ, ગંધ આદિ ગુણોની અપેક્ષાએ પ્રયોજાયેલો છે તે જાણવું.
20. મૂળપાઠ ષ.સમુ.બુ.વૃ.શ્લોક-૫૫ ની ટીકામાં જોવા ભલામણ.