________________
પ્રમાણ
परार्थं पक्षहेतुवचनात्मकमनुमानमुपचारात्, तेन श्रोतुरनुमानेनार्थबोधनात्(20) ।
અર્થ :- પક્ષ અને હેતુનું વચન પરાર્થ અનુમાન છે. પક્ષ અને હેતુનું પ્રતિપાદક વચન ઉપચારથી અનુમાન કહેવાય છે. જેના દ્વારા શ્રોતાને અનુમાનથી અર્થનો બોધ થાય છે.
પ્રમાણના સામાન્ય લક્ષણ અનુસારે પ્રમાણ જ્ઞાનરૂપ જ છે. જો કે પક્ષ અને હેતુનું વચન જરૂ૫ છે. તેથી તે અનુમાનપ્રમાણ થઈ શકતું નથી. તો પણ અહીં જે વચનને અનુમાન પ્રમાણ કહ્યું છે તે ઉપચારના કારણે કહ્યું છે. મુખ્ય અર્થનો જ્યારે બાધ થાય છે ત્યારે ઉપચારનો પ્રયોગ થાય છે. ઉપચાર બે રીતે થઈ શકે છે. એક કારણમાં કાર્યનો ઉપચાર અને બીજો કાર્યમાં કારણનો ઉપચાર.
પ્રથમ પક્ષ અનુસાર અહીં પ્રમાણ શબ્દનો જે મુખ્ય અર્થ છે, તેનો બાધ સ્પષ્ટ છે. વચન જ્ઞાનરૂપ નથી, તેથી તે મુખ્યરૂપથી અનુમાન પ્રમાણ થઈ શકતું નથી. વક્તાનું વાક્ય સાંભળીને શ્રોતાને જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી વચન શ્રોતાના જ્ઞાનનું કારણ છે. શ્રોતા વચન સાંભળીને અનુમાન કરે છે. અનુમાન કાર્ય છે અને પક્ષ આદિનું વચન કારણ છે. કારણભૂત વચનમાં કાર્યવાચક અનુમાન શબ્દનો પ્રયોગ ઉપચાર છે. અન્ય પુરૂષને અનુમાન કરાવવા માટે વચન અત્યંત સમર્થ છે. તેથી અહીં વચનમાં અનુમાનનો ઉપચાર છે.
અથવા કાર્યમાં કારણના ઉપચારથી વચનમાં અનુમાનનો વ્યવહાર થાય છે. વક્તા હેતુથી સાધ્યને સ્વયં જાણે છે. તેથી તેનું જ્ઞાન સ્વાર્થાનુમાન છે અને પછી “તે મને જે પ્રકારે હેતુથી જ્ઞાન થયું છે તે રીતે શ્રોતાને પણ ઉત્પન્ન થાય' - આ બુદ્ધિથી વચનનો પ્રયોગ કરે છે. આ રીતે વક્તાનું
20. મધુના પરાર્થનુમાનં પ્રપતિ-પતુવેરનાત્મપરાર્થનનુમાનમ,૩પવાર ૨રૂપ ‘पर्वतो वह्निमान् धूमात्' इत्याकारकं पक्षहेतुवचनात्मकं परार्थमनुमानम्, उपचारात्-पक्षहेतुवचनस्य जडत्वेन मुख्यतः प्रामाण्यासम्भवात् तत्रानुमानशब्दप्रयोगः, कारणे कार्योपचारादौपचारिकः, बोधव्यगतं ज्ञानं कार्य, तस्य च कारणं पक्षहेतुवचनम्। अथवा कार्ये कारणोपचारत, वक्तृगतं स्वार्थानुमानं कारणं तस्य पक्षहेतुवचनं कार्यमिति ।।२३।।