________________
૨૪૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નથી, તેથી જલરૂપે ઘટ સત્ નથી. જ્યારે ઘટ કોઈ એક સ્થળે રહે છે, ત્યારે અન્ય સ્થળે તે નથી રહેતો. અન્ય સ્થાનની અપેક્ષાએ તે અસત્ છે. જ્યારે ઘટ વર્તમાનકાળમાં પ્રતીત થાય છે, ત્યારે અનાગત અથવા અતીત કાળમાં પ્રતીત થતો નથી. વર્તમાનકાળની અપેક્ષાએ ઘટ સત્ હોવા છતાં પણ અતીત અને અનાગતમાં અસત્ છે. આ જ રીતે જોતી વખતે જો ઘટ શ્યામ હોય તો શ્યામ સ્વરૂપે જ સત્ છે. પતિ અથવા રક્ત રૂપે સતું નથી. તે કાળમાં શ્યામ રૂપની સાથે જ ઘટનો અભેદ છે. ઉપાદાન પૃથ્વીની સાથે અને શ્યામ આદિ ગુણોની સાથે ઘટના ભેદભેદ છે. દેશ અને કાળની સાથે ભેદભેદ તો નથી પરંતુ સંયોગ સંબંધ છે. ઉપાદાન અને ગુણોની જેમ દેશ અને કાલની સાથે ભેદભેદ ન હોવા છતાં પણ અવશ્યભાવી સંયોગ સંબંધ છે. આ નિયત સંબંધીઓની સાથે જ અર્થ પ્રતીત થાય છે, તેથી તેની અપેક્ષાએ સત્ છે. જે દ્રવ્ય-ક્ષેત્ર આદિ પર છે, તેની સાથે પ્રતીતિ નથી થતી, તેથી તેની અપેક્ષાએ અસત્ છે. દ્વિતીય ભાંગો ઃ હવે બીજા ભાંગાનું સ્વરૂપ જણાવે છે -
एवं स्यानास्त्येव सर्वमिति प्राधान्येन निषेधकल्पनया द्वितीयः।(4)
અર્થ: આ જ રીતે કોઈ અપેક્ષાએ “સર્વ પદાર્થ નથી'' આ રીતિથી નિષેધની પ્રધાનરૂપે વિવક્ષા દ્વારા બીજો ભાંગો થાય છે.
કહેવાનો સાર એ છે કે, પ્રથમ ભાંગામાં સત્ત્વરૂપ ધર્મની પ્રધાનરૂપે વિવેક્ષા છે, એના લીધે અસત્ત્વનું જ્ઞાન ગૌણ રૂપે થાય છે. સર્વથા અસત્ત્વની અપ્રતીતિ નથી થતી. દરેક ભાગો એક-એક નિયત ઘર્મને પ્રધાનરૂપે પ્રગટ કરે છે. અભાવાત્મક વિરોધી ધર્મોની પ્રતીતિ અપ્રધાનરૂપે હોય છે. સપ્તભંગી શ્રુત-પ્રમાણનો અવાંતર ભેદ છે. એક એક ભાગો નયરૂપ વાક્ય છે. વિરોધી ધર્મનો સર્વથા નિષેધ ન કરતાં કોઈ ધર્મનું નિરૂપણ કરવું,
4. अथ द्वितीयभङ्गोल्लेखं ख्यापयन्ति - स्यानास्त्येव सर्वमिति निषेधकल्पनया द्वितीयः ।।१६।। 'परद्रव्य-क्षेत्र-काल-भावैः कथञ्चिन्नास्त्येव कुम्भादिः' इति निषेधकल्पनया द्वितीयो મઃ ||૪-૧દ્દા (અ.સ.તત્વા.)