________________
૨૪૬
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
જો અસત્ત્વ કલ્પનાથી સિદ્ધ હોય તો બૌદ્ધ નિર્દોષ હેતુના જે ત્રણ રૂપોનો સ્વીકાર કરે છે, તે પણ ઉપપન્ન નહીં થાય. બૌદ્ધોના મત પ્રમાણે, હેતુને માટે પક્ષમાં સત્ત્વ, સપક્ષમાં સત્ત્વ અને વિપક્ષમાં અસત્ત્વ આ ત્રણ રૂપ હોવા જોઈએ. જો અસત્ત્વ કલ્પના મૂલક હોય, તો વિપક્ષમાં અસત્ત્વ પણ કાલ્પનિક થઈ જશે. આ દશામાં હેતુનું નિર્દોષ સ્વરૂપ નહીં રહી શકે. તેથી સત્ત્વ અને અસત્ત્વ વસ્તુના બંને ધર્મ તાત્ત્વિક છે. તૃતીય ભાંગો :
હવે તૃતીય ભાંગાનું સ્વરૂપ જણાવતાં કહે છે કે, स्यादस्त्येव स्यानास्त्येवेति प्राधान्येन क्रमिकविधिनिषेध-कल्पनया तृतीयः।।)
અર્થ : કોઈ અપેક્ષાએ પ્રત્યેક અર્થ સત્ છે અને કોઈ અપેક્ષાએ અસત્ છે. આ રીતે પ્રધાન રૂપે ક્રમની સાથે વિધિ અને નિષેધના નિરૂપણ દ્વારા તૃતીય ભાંગો થાય છે.
કહેવાનો આશય એ છે કે, ક્રમશઃ વિધિ અને નિષેધ, આ બંનેની વિવેક્ષા હોય, તો ત્રીજો ભાગો થાય છે. પ્રથમ ભાંગા દ્વારા સ્વ-દ્રવ્ય આદિની અપેક્ષાએ કેવળ સત્ત્વનું પ્રધાનરૂપે નિરૂપણ થાય છે. બીજા ભાંગા દ્વારા પર-દ્રવ્ય આદિની અપેક્ષાએ અસત્ત્વનું પ્રધાનરૂપે નિરૂપણ થાય છે. સત્ત્વ અને અસત્ત્વ બંનેનું ક્રમશઃ પ્રધાનરૂપે નિરૂપણ ત્રીજા ભાંગામાં હોય છે. પ્રથમ ભાંગો અને દ્વિતીય ભાંગો બંનેનું પ્રધાન રૂપે નિરૂપણ નથી કરતો, આ જ ત્રીજા ભાંગાનો પ્રથમ અને દ્વિતીય ભાંગાથી ભેદ છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. અન્ય રીતિથી પણ પ્રથમ અને દ્વિતીય ભાંગાથી તૃતીય ભાંગાના ભેદને પ્રગટ કરે છે. પ્રથમ ભાંગાથી વિધિનું મુખ્યરૂપે ભાન થાય છે. દ્વિતીય ભાંગાથી નિષેધનો બોધ મુખ્ય રૂપે થાય છે. પ્રથમ ભાંગા બાદ દ્વિતીય ભાંગો છે. તેથી વિધિ અને 5. अथ तृतीयभङ्गमुल्लेखतो व्यक्तीकुर्वन्ति-स्यादस्त्येव नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ।।४-१७।। यदा वस्तुगतास्तित्व-नास्तित्वधर्मो क्रमेण विवक्षितौ तदा ચાયૅવ યાત્રત્યેવ’ તિ તૃતીયો મ ા૨૭II (પ્ર.ન.તસ્વા.)