________________
૩૨૦
જૈનદર્શનને મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ :- આ નામ આદિ નિક્ષેપાઓ દ્વારા જીવ આદિ પદાર્થોનો નિક્ષેપ કરવો જોઈએ.
तत्र यद्यपि यस्य जीवास्याजीवस्य वा जीव इति नाम क्रियते स नामजीवः, देवतादिप्रतिमा च स्थापनाजीवः, औपशमिकादिभावशाली भावजीव इति जीवविषयं निक्षेपत्रयं सम्भवति, न तु द्रव्यनिक्षेपः।
અર્થ - જે જીવ અથવા અજીવનું જીવ” એ નામ કરી દેવામાં આવે છે, તે નામ જીવ છે. દેવતા આદિની પ્રતિમા સ્થાપના જીવ છે.
પશમિક આદિ ભાવોથી જે યુક્ત છે તે ભાવ જીવ છે. આ પ્રકારે જીવના વિષયમાં ત્રણ નિક્ષેપ થઈ શકે છે. પરંતુ જીવનો દ્રવ્ય નિક્ષેપ નથી થઈ શકતો.
કહેવાનો આશય એ છે કે, ચેતન અથવા અચેતન અર્થને જીવ નામ આપવામાં આવે તો તે નામ જીવ છે. મનુષ્ય આદિ જીવોના ભેદ છે, તે બધા સામાન્ય રૂપે જીવ છે. તે બધા જીવ જીવનથી યુક્ત છે. તેનું જ્યારે જીવનામ છે, ત્યારે તે વાચ્ય અર્થથી યુક્ત થાય છે. જ્યારે અચેતન કાષ્ઠ આદિનું જીવ નામ ધરી દેવામાં આવે છે, ત્યારે જીવન રૂ૫ વાચ્ય અર્થથી રહિત હોય છે, આ દશામાં આ નામ જીવ છે. જ્યારે કોઈ અચેતન વસ્તુનું જીવ નામ રાખી દેવામાં આવે છે, ત્યારે તે અચેતન નામ જીવ કહેવાય છે. જે રીતે સ્વર્ગના અધિપતિ ઈન્દ્રથી ભિન્ન ગોપાલનો બાળક નામથી ઈન્દ્ર કહેવાય છે. આ પ્રકારે જીવથી ભિન્ન અચેતન અર્થ નામથી જીવ કહેવાય છે. દેવતા, મનુષ્ય આદિની પ્રતિમાનું સ્થાપન જીવ બુદ્ધિથી કરવામાં આવે તો તે પ્રતિમા “સ્થાપના જીવ' કહેવાય છે. દેવતા અને મનુષ્ય શરીરધારી છે. આ દિશામાં શરીરનો જે આકાર છે, તે આકાર આકારરહિત.જીવનો પણ માની લેવામાં આવે છે. ઈન્દ્રની પ્રતિમા ઈન્દ્રની બુદ્ધિથી બનાવવામાં આવે છે અને તે