Book Title: Jain Darshanna mahattvana siddhanto
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 338
________________ “જેનદર્શનમાં નિક્ષેપયોજન” ૩ ૨૧ સ્થાપના ઈન્દ્ર કહેવાય છે. તે પ્રકારે જીવની કોઈ પ્રતિમા બનાવવામાં આવે અને તેમાં જીવ બુદ્ધિનું સ્થાપન કરવામાં આવે તો તે પ્રતિમા, દેવતાની હોય કે મનુષ્ય આદિની, સ્થાપના જીવ છે. ઓપશમિક આદિ ભાવોથી યુક્ત જીવ ભાવજીવ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે. કર્મ પુદ્ગલોના ઉપશમ આદિના કારણે જ્ઞાનના પરિણામ ભિન્ન પ્રકારના થઈ જાય છે. આ સમસ્ત પરિણામ સદા જીવમાં નથી થતા. પરંતુ કોઈને કોઈ પરિણામ અવશ્ય રહે છે. ચૈતન્ય આત્માનું અસાધારણ સ્વરૂપ છે, તેનાથી રહિત આત્મા ક્યારેય નથી હોતો. અગ્નિ જે રીતે ઉષ્ણતાથી રહિત નથી હોતો, તે જ રીતે જીવ ક્યારેય ચૈતન્યથી રહિત નથી હોતો. કર્મના કારણે જ્ઞાનના પરિણામ અનેક પ્રકારનાં થતા રહે છે. આ પરિણામોથી યુક્ત જીવ ભાવજીવ છે. આ રીતે જીવના વિષયમાં નામ, સ્થાપના અને ભાવ આ ત્રણ નિક્ષેપ થઈ શકે છે. પરંતુ દ્રવ્ય નિક્ષેપ નથી થઈ શકતો. જીવના વિષયમાં દ્રવ્ય નિક્ષેપના નિષેધનું રહસ્ય જણાવતાં આગળ બતાવે છે ___ अयं हि तदा सम्भवेत्, यद्यजीवः सन्नायत्यां जीवोऽभविष्यत्, यथाऽदेवः सन्नायत्यां देवो भविष्यत् (न्) द्रव्यदेव इति। न चैतदिष्टं सिद्धान्ते, यतो जीवत्वमनादिनिधन: पारिणामिको भाव इष्यत इति। અર્થ - એ દ્રવ્ય જીવ ત્યારે જ થઈ શકે કે, જ્યારે અજીવ હોય તેવો કોઈ અર્થ ભાવી કાળમાં જીવ થઈ જતો હોય. જે પ્રકારે દેવ નથી, તે દેવ થવાવાળા છે તો દ્રવ્યદેવ કહેવાય છે, પરંતુ દ્રવ્ય જીવ વિષયમાં આ સિદ્ધાતમાં ઈષ્ટ નથી. કારણ કે, જીવત્વ આદિ અને અત્તથી રહિત પારિણામિક ભાવ માનવામાં આવે છે. કહેવાનો સાર એ છે કે, વર્તમાનકાળમાં જે પર્યાય છે, તેના કારણ સ્વરૂપ અર્થ, દ્રવ્ય કહેવાય છે. ઘટ વર્તમાનકાળનું પરિણામ છે. મૃર્લિંડ

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346