Book Title: Jain Darshanna mahattvana siddhanto
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 339
________________ ૩૨ ૨ જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો તેનું કારણ છે, તે ઘટના રૂપમાં નથી. તેથી દ્રવ્ય ઘટ કહેવાય છે. જો કોઈ જીવભિન્ન અર્થ અન્ય કાળમાં જીવ રૂપે પરિણામને પ્રાપ્ત થઈ શકે, તો કારણ હોવાથી તેને દ્રવ્ય જીવ કહી શકાય છે. પરંતુ જીવ ન તો ઉત્પન્ન થાય છે ન નષ્ટ થાય છે, જે અર્થ જીવથી ભિન્ન ચેતનાશૂન્ય છે તે ક્યારેય જીવ સ્વરૂપને પ્રાપ્ત કરતો નથી. જે હજી મનુષ્ય છે, પરંતુ પછી ક્યારેક દેવરૂપમાં થશે તે મનુષ્ય હોવા છતાં પણ દ્રવ્ય દેવ છે. પરંતુ અજીવ અને જીવનો પરસ્પર કાર્ય-કારણ ભાવ નથી. તેથી કોઈપણ અર્થ દ્રવ્ય જીવ થઈ શકતો નથી. હવે આ વિષયમાં અન્ય મતને ઉપસ્થિત કરીને તેનું ખંડન કરતાં આગળ જણાવે છે કે, तथापि गुणपर्यायवियुक्तत्वेन बुद्ध्या कल्पितोऽनादिपारिणामिकभावयुक्तो द्रव्यजीवः शून्योऽयं भङ्ग इति यावत्, सतां गुणपर्यायाणां बुद्ध्यापनयस्य कर्तुमशक्यत्वात् न खलु ज्ञानायत्तार्थपरिणतिः किन्तु अर्थो यथा यथा વિપરિણમતે તથા તથા જ્ઞાનં પ્રાદુરસ્તીતિા (- અહીંયાં “સતાં ગુણપયાન” થી આગળ “શૂન્યો ચં ચં રૂતિ વાવ” એટલો પાઠ ન હોવો જોઈએ. પરંતુ “દ્રવ્યનીવ:” ત્યાર બાદ “તિ વિ તન્ન” એટલો પાઠ હોવો જોઈએ. “તથા તથા જ્ઞાનં પ્રાદુરસ્તીતિ” એની પછી “શૂન્યોછ્યું રૂતિ થવા" આટલો પાઠ હોવો જોઈએ. આ પ્રકારે પાઠને માનવાથી અર્થ આ પ્રકારે થશે.) અર્થ :- તો પણ ગુણ અને પર્યાયથી રહિત રૂપમાં બુદ્ધિ દ્વારા કલ્પિત કરેલા અનાદિ પારિણામિક ભાવથી યુક્ત દ્રવ્ય જીવ છે. આ મત યુક્ત નથી. જે ગુણ અને પર્યાય વિદ્યમાન છે. તેને કલ્પનાથી હટાવી શકાતાં નથી. પદાર્થનું પરિણામ જ્ઞાનને આધીન નથી, પરંતુ અર્થ જે રૂપમાં પરિણામને પ્રાપ્ત કરે છે, તે તે રૂપથી જ્ઞાન પ્રગટ થાય છે. કહેવાનો સાર એ છે કે, દ્રવ્યનો ગુણ અને પર્યાયોની સાથે જે

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346