________________
સપ્તભંગી
તો બધા જ સ્થાને સરૂપમાં જ પ્રતીત થવો જોઈએ, ઘટરૂપમાં તેની પ્રતીતિ ન થવી જોઈએ. ઘટ જ્યારે પ્રતીત થાય છે, ત્યારે વૃક્ષ આદિ અર્થોથી ભિન્ન આકારમાં જ પ્રતીત થાય છે. તેથી ઘટ ઘટરૂપે જ સત્ છે, એ જ રીતે જો ઘટ આદિ અર્થ અસત્પ હોય, તો વૃક્ષ આદિના રૂપે જે રીતે અવિદ્યમાન છે, તે રીતે પોતાના રૂપે પણ અવિદ્યમાન હોવાને કારણે શશશૃંગની જેમ તુચ્છ થઈ જવો જોઈએ. એકાંત રૂપે કેવળ સત્ત્વાત્મક અને અસત્ત્વાત્મક રૂપમાં ઘટ આદિ અવાચ્ય છે. આ અવક્તવ્યનો પહેલો પ્રકાર છે.
૨૪૯
અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી જ્યારે અર્થોનો ભેદ કરવામાં આવે છે, ત્યારે જે રૂપમાં વિવક્ષા ઈચ્છે છે અને જે રૂપમાં વિવક્ષા નથી ઈચ્છતા, તે બે રૂપોથી પ્રથમ અને બીજો ભાંગો થાય છે. આ બંને પ્રકારોથી જો એક કાળમાં કહેવાની ઈચ્છા હોય, તો અર્થ કોઈપણ શબ્દથી કહી શકાતો નથી, તેથી અવાચ્ય છે. જે રૂપે વિવક્ષા નથી તે રૂપે પણ જો ઘટ હોય તો, નિયત નામ અને સ્થાપના આદિનો વ્યવહાર ન હોવો જોઈએ. એ જ રીતે જે રૂપે કહેવા માંગે છે તે રૂપે પણ જો ઘટ ન હોય તો ઘટનો વ્યવહાર જ ન થવો જોઈએ. આ બંને પક્ષોમાંથી જો કેવળ એક પક્ષને સ્વીકાર ક૨વામાં આવે તો અર્થનું સ્વરૂપ નહીં રહે, તેથી અવાચ્ય થઈ જાય છે. આ અવક્તવ્યનો બીજો પ્રકાર છે.
અથવા નામ આદિનો જે પ્રકા૨ નિયત છે, તેમાં જે આકાર આદિ છે, તેના રૂપે ઘટ છે. નામ આદિમાં જે આકાર આદિ નથી, તેના દ્વારા તે ઘટ નથી. આ બંને પ્રકારોથી એક કાળમાં કહેવાની શક્તિ કોઈ પદમાં નથી, તેથી અવક્તવ્ય છે. જે આકાર આદિ વિદ્યમાન છે, તેના કારણે જે પ્રકારે ઘટ છે તે પ્રકારે જો અવિદ્યમાન આકારથી પણ ઘટ હોય, તો એક જ ઘટ સમસ્ત ઘટોના રૂપમાં થઈ જવો જોઈએ. જો વિદ્યમાન આકારથી પણ ઘટ ન હોય, તો ઘટના અર્થી મનુષ્ય, વૃક્ષમાં જે રીતે પ્રવૃત્તિ નથી કરતો, તે રીતે ઘટમાં પણ પ્રવૃત્તિ ન કરે. આ બંનેમાંથી કોઈપણ એકાંત પ્રમાણોથી સિદ્ધ નથી, તેથી અવક્તવ્યનો આ ત્રીજો