________________
જેનદર્શનમાં નિક્ષેપયોજન'
૨૮૭.
પહોંચવાના સ્થાનને માટે એકાગ્ર ચિત્ત પણ છે, પરંતુ તે જો રોગી હોય અને દૂર સુધી ચાલવામાં અસમર્થ હોય તો થોડે દૂર ચાલીને રહી જશે અને વાંછિત સ્થાને નહીં પહોંચી શકે. રોગી પથિક દૂર સુધીની યાત્રાનો અધિકારી નથી તેની યાત્રા અપ્રધાન ક્રિયા રૂપ, છે તેથી વાંછિત સ્થાન સુધી પહોંચાડવામાં અસમર્થ છે. રોગી યાત્રીની જેમ અભવ્ય અને દૂરભવ્ય જો એકાગ્ર ચિત્તે પૂજા કરે તો પણ અધિકારી ન હોવાથી ઈષ્ટ ફળને પ્રાપ્ત નથી કરી શકતો. તીર્થકર આદિની પૂજા આદિ જોઈને અભવ્ય જીવને “ચારિત્ર સ્વીકારવાથી આવી પૂજા પ્રાપ્ત થાય છે” એવું ચારિત્રનું જ્ઞાન થાય છે અને તેનાથી તેની પૂજામાં પ્રવૃત્તિ થઈ શકે છે. પરંતુ ઈષ્ટ ફળ નથી મળતું.
જેનું ચિત્ત એકાગ્ર નથી, જે સંસારના અન્ય વિષયોનું ચિંતન કરી રહ્યો છે, તેની પૂજા પણ દ્રવ્ય ક્રિયા છે. તે મોક્ષનું સાક્ષાત્ કારણ નથી. જિનેન્દ્રના રાગ, દ્વેષ આદિથી રહિત સ્વરૂપનું એકાગ્ર ચિત્ત દ્વારા ચિંતન ન હોય તો સાધકના રાગ-દ્વેષ આદિ દોષ ક્ષણ નથી થતા. આ કારણે તેને મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી.
જે એકાગ્ર ચિત્તથી ભક્તિની સાથે પૂજા કરે છે. પરંતુ વિધિની સાથે નથી કરતો અથવા પુત્ર, ઐશ્વર્ય આદિની કામનાથી કરે છે, તેની પૂજા પણ દ્રવ્ય પૂજા છે. વિધિ વિના પૂજા જો ભક્તિની સાથે પણ કરવામાં આવે, તો તે રાગ આદિના નાશમાં પ્રધાનરૂપે સાધન નથી રહેતી. પરંપરાએ મોક્ષનું સાધન ન હોવાના કારણે તે અપ્રધાન દ્રવ્ય રૂપ થઈ જાય છે. લૌકિક ફળનો અભિલાષી પુત્ર આદિ ફળ પ્રાપ્ત કરીને સંસારમાં રહી જશે. તેને મોક્ષ નહીં મળે. જો તે રાગ આદિના શયને માટે ભક્તિ કરે તો વિધિ અનુસાર ન હોવા છતાં પણ પરંપરાએ મોક્ષનું કારણ થઈ શકે છે. વિધિના વિરોધનો જે દોષ છે, તે ભક્તિના કારણે નિરંતર અનિષ્ટ ફળની ઉત્પત્તિમાં