Book Title: Jain Darshanna mahattvana siddhanto
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 330
________________ “જૈનદર્શનમાં નિક્ષેપયોજન' ૩૧ ૩ વાચક સંબંધથી રહે છે, તેથી નામની અપેક્ષાએ દ્રવ્ય અને સ્થાપના ભાવનું અધિક નિકટ કારણ છે. કહેવાનો આશય એ છે કે, ઋજુસૂત્ર નામનો સ્વીકાર કરે છે તે તમે પણ માનો છો. નામ બે પ્રકારનું હોઈ શકે છે. કેવળ ઈન્દ્ર આદિ સંજ્ઞા રૂ૫ અથવા ઈન્દ્રના મુખ્ય અર્થથી રહિત. પરંતુ ઈન્દ્ર શબ્દથી વાચ્ય ગોપાલનો બાળક આદિ વસ્તુરૂપ છે. આ બંને પ્રકારના નામ ભાવના કારણે છે તેથી તેનો જુસૂત્ર સ્વીકાર કરે છે. નામ નિક્ષેપને માનવાનું કારણ દ્રવ્ય અને સ્થાપનામાં પણ વિદ્યમાન છે. એટલું જ નહિ, નામની અપેક્ષાએ દ્રવ્ય અને સ્થાપના ઈન્દ્ર પર્યાય રૂ૫ ભાવમાં અધિક નિકટવર્તી હેતુ છે. ઈન્દ્રની મૂર્તિ દ્રવ્ય છે અને તેનો વિશિષ્ટ આકાર સ્થાપના છે. આ બંને ઈન્દ્ર પર્યાયરૂ૫ ભાવમાં અભેદથી વિદ્યમાન છે. ઈન્દ્રની મૂર્તિ અને તેનો વિશિષ્ટ આકાર બંને ભાવ ઈન્દ્રથી અલગ થઈને દેખાતા નથી પરંતુ નામ ભાવઈન્દ્રથી અલગ થઈને પ્રતીત થાય છે. નામનો ભાવની સાથે સંબંધ વા-વાચક ભાવરૂપ છે. દ્રવ્ય અને આકારની જેમ નામ સર્વથા ભાવના સ્વરૂપમાં પ્રતીત થતું નથી. તેથી નામની અપેક્ષાએ વધુ નિકટ હોવાથી જુસૂત્ર દ્રવ્ય અને સ્થાપનાનો સ્વીકાર કરે છે. સંગ્રહ અને વ્યવહારનય સ્થાપના નથી માનતા,” - આ મતનું ખંડન કરતાં જણાવે છે કે – અન્ય મત ઃ संग्रहव्यवहारौ स्थापनावर्जास्त्रीनिक्षेपानिच्छत इति केचित्; અર્થ - સંગ્રહ અને વ્યવહાર સ્થાપનાને છોડીને અન્ય ત્રણ નિક્ષેપાઓનો સ્વીકાર કરે છે - આવો કેટલાક લોકોનો મત છે. કહેવાનો સાર એ છે કે, સંગ્રહ નય અનુસાર સ્થાપનાને ન

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346