Book Title: Jain Darshanna mahattvana siddhanto
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 334
________________ “જેનદર્શનમાં નિક્ષેપયોજન” ૩૧૭ આ ત્રણેય નેગમોમાં સ્થાપનાને માની લેવાથી સંગ્રહ અને વ્યવહારમાં પણ સ્થાપનાનો નિક્ષેપ આવશ્યક થઈ જાય છે. હવે નૈગમના ત્રણ ભેદ સ્વીકારવાથી સંગ્રહ અને વ્યવહારમાં પણ સ્થાપના નિક્ષેપનો સ્વીકાર આવશ્યક થશે, તે ક્રમશઃ યુક્તિ પુરસ્સર જણાવે છે. तत्राद्यपक्षे संग्रहे स्थापनाभ्युपगमप्रसङ्गः, संग्रहनयमतस्य संग्रहिकनैगममताविशेषात्। द्वितीये व्यवहारे तदभ्युपगमप्रसङ्गः तन्मतस्य व्यवहारमतादविशेषात्। અર્થ :- તેમાંથી પહેલો પક્ષ હોય તો સંગ્રહમાં સ્થાપનાનો સ્વીકાર કરવો પડશે, કારણ કે, સંગ્રહનયના મતમાં અને સંગ્રહિક નગમના મતમાં કોઈ ભેદ નથી. બીજો પક્ષ હોય તો વ્યવહારમાં સ્થાપનાનો સ્વીકાર કરવો પડશે, કારણ કે, અસંગ્રહિક નગમ અને વ્યવહારના મતમાં ભેદ નથી. કહેવાનો આશય એ છે કે, સંગ્રહિક નેગમ સંગ્રહના મતને માને છે. સંગ્રહ જે રીતે સામાન્યનો સ્વીકાર કરે છે, તે રીતે સંગ્રહિક નેગમ પણ સામાન્યનો સ્વીકાર કરે છે. જો સંગ્રહના મતને માનવાવાળો નેગમ સ્થાપનાને માને છે, તો સંગ્રહને પણ સમાન મત હોવાથી સ્થાપનાને માનવી પડશે. જો તમે અસંગ્રહિક નગમના મતમાં સ્થાપનાનો સ્વીકાર કરો છો, તો વ્યવહાર નયમાં સ્થાપનાને માનવી પડશે. અસંગ્રહિક નેગમ વ્યવહાર નયના મતને માને છે. વ્યવહાર નય જે રીતે વિશેષનો સ્વીકાર કરે છે, તે રીતે અસંગ્રહિક નેગમ પણ વિશેષને સ્વીકારે છે. જો અસંગ્રહિક બેગમ સ્થાપનાને માને, તો સમાન મત હોવાથી વ્યવહારમાં પણ સ્થાપના આવશ્યક થઈ જાય છે. હવે ત્રીજા વિકલ્પના વિષયમાં ખુલાસો કરે છે કે,

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346