________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન'
૨૯૫
ભિન્ન છે, તેના કારણે તેમાં ભેદ છે.
હવે નવી એક શંકા કરી તેનું સમાધાન આપે છે.
શંકા : નનું ભાવ વ વસ્તુ તિવર્થપૂર્વેનમામિતિ ચેા (નૈનતમા )
અર્થ - શંકા : ભાવ કેવળ વસ્તુ છે, ભાવના અર્થથી શૂન્ય નામ આદિ દ્વારા શું લાભ છે?
કહેવાનો આશય એ છે કે, કારણભૂત દ્રવ્ય જ્યારે કોઈ પર્યાયથી યુક્ત થાય છે. ત્યારે તેના દ્વારા કાર્ય કરી શકાય છે. ભાવરૂપ અર્થથી જે કાર્ય સિદ્ધ થાય છે, તે નામ, સ્થાપના અથવા દ્રવ્યથી સિદ્ધ નથી થતું. માટીનું જ્યારે ઘટ રૂપમાં પરિણામ થાય છે, ત્યારે પાણી લાવી શકાય છે. ઘટનું નામ અથવા ઘટની સ્થાપના અથવા ઘટનું કારણ મૃપિંડ પાણી લાવવાનું સાધન નથી બની શકતું. તેથી ઘટ શબ્દનો વાસ્તવમાં વાચ્ય અર્થ માટીના પરિણામ સ્વરૂપ ભાવ ઘટ જ છે. નામ આદિને ઘટ શબ્દનો વાચ્ય માનવામાં કોઈ લાભ નથી. પાણીને લાવવું આદિ વિશેષ કાર્ય ઘટનું છે, તે જ જો કોઈ અર્થથી સિદ્ધ ન થાય, તો તેને ઘટ નામથી કહેવું ઉચિત નથી. નામ કેવળ નામ છે, તે નામ દ્વારા વાચ્ય વસ્તુની જેમ સ્વયં વસ્તુ નહીં થઈ શકે.
समाधान : न, नामादीनामपि वस्तुपर्यायत्वेन सामान्यतो भावत्वानतिक्रमात्, अविशिष्टे इन्द्रे वस्तुन्युच्चरिते नामादि भेदचतुष्टयपरामर्शनात् प्रकरणादिनैव विशेषपर्यवसानात्। (जैनतर्कभाषा)
અર્થ :- સમાધાન : નામ આદિ પણ વસ્તુના પર્યાય છે, તેથી સામાન્યરૂપે તેમાં પણ ભાવત્વ છે. સામાન્યરૂપે ઈન્દ્ર શબ્દનું ઉચ્ચારણ કરવાથી નામ આદિ ચાર ભેદોનું જ્ઞાન થાય છે. પ્રકરણ