________________
૩૦૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અતીત અને અનાગત પર્યાયોને અલગ કરીને નિરૂપણ કરવાના કારણે તેમાં અનુગામી સ્વરૂપની પ્રધાનતા નથી. તેથી તેને પૂ.આ.શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી પર્યાય નયના ભેદ તરીકે સ્વીકાર કરે છે. આ મતને માનીને પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજે વિશેષાવશ્યકભાષ્યમાં
જુસૂત્રને પર્યાયાસ્તિકના ભેદરૂપે કહ્યો છે. દ્રવ્ય જે રીતે વર્તમાન પર્યાયની સાથે રહે છે, તે રીતે અતીત અને અનાગત પર્યાયોની સાથે પણ રહે છે. કેવળ વર્તમાન પર્યાયની સાથે મુખ્યરૂપે સંબંધ હોવાના કારણે ઋજુસૂત્રનો અનુગામી દ્રવ્યની સાથે નહીં, પરંતુ અનનુગામી પર્યાયની સાથે સંબંધ છે. આ વાદી પૂ.આ.શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના અનુગામીઓનો અભિપ્રાય છે. આ મત અનુસાર નામ, સ્થાપના, દ્રવ્ય આ ત્રણ નિક્ષેપાઓનો સંબંધ દ્રવ્યાસ્તિકની સાથે છે, પર્યાયાસ્તિકની સાથે નથી. પર્યાયાસ્તિક નયનો સંબંધ કેવળ ભાવ નિક્ષેપની સાથે છે. હવે આ વિષયમાં પૂ.આ.શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીનો મત પ્રસ્તુત કરે છે. ___स्वमते तु नमस्कारनिक्षेपविचारस्थले "भावं चियसद्दणया सेसा इच्छन्ति सव्वणि क्खेवे" (२८४७) इति वचसा त्रयोऽपि शब्दनया: शुद्धत्वाद्भावमेवेच्छन्ति ऋजुसूत्रादयस्तु चत्वारश्चतुरोऽपि निक्षेपानिच्छन्ति अविशुद्धत्वादित्युक्तम्।
અર્થ :- આપણા મનમાં તો જ્યાં નમસ્કારના નિક્ષેપનો વિચાર કર્યો છે, ત્યાં શબ્દનય ભાવનિક્ષેપને જ માને છે અને શેષ નય બધા નિક્ષેપાઓને માને છે, આ વચન દ્વારા શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત આ ત્રણેય નય કેવળ ભાવને અને ઋજુસૂત્ર આદિ ચાર નય અશુદ્ધ હોવાથી ચારેય નિક્ષેપાઓનો સ્વીકાર કરે છે એ કહ્યું છે.
કહેવાનો સાર એ છે કે, કોઈ પદ દ્વારા વ્યુત્પત્તિના બળે જે અર્થ પ્રતીત થાય છે, તેના વાચક શબ્દના વિષયમાં સાંપ્રત, સમભિરૂઢ અને