________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૯૧
फलदर्शनाद् भिद्यते, यथाहि स्थापनेन्द्रे लोचनसहस्राद्याकारः, स्थापनाकर्तुश्च सद्भूतेन्द्राभिप्रायो द्रष्टश्च तदाकारदर्शनादिन्द्रबुद्धिः, भक्तिपरिणतबुद्धीनां नमस्करणादि क्रिया, तत्फलं च पुत्रोत्पत्त्यादिकं संवीक्ष्यते, न तथा नामेन्द्रे द्रव्येन्द्रे चेति તામ્યાં તેરા મેડા (નૈનતમાષા)
અર્થ સમાધાન : આપનું કથન યુક્ત નથી, એ સ્વરૂપે વિરુદ્ધ ધર્મોનો સંબંધ ન હોવા છતાં પણ અન્ય રૂપ દ્વારા વિરોધી ધર્મોની સાથે સંબંધ હોવાના કારણે તેમાં ભેદ થઈ શકે છે. તે આ રીતે - સ્થાપના તો આકાર, અભિપ્રાય, બુદ્ધિ, ક્રિયા અને ફળના દેખાઈ શકવાના કારણે નામ અને દ્રવ્યથી ભિન્ન છે. સ્થાપના ઈન્દ્રમાં જે રીતે હજાર નેત્ર વગેરે આકાર અને સ્થાપના કરવાવાળાનો સત્ય ઈન્દ્રનો અભિપ્રાય અને દષ્ટાને તે આકારના જોવાથી ઈન્દ્રની બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને ભક્તિમાં પરિણત બુદ્ધિવાળા લોકો નમસ્કાર આદિ ક્રિયા કરે છે અને તેનું ફળ પુત્ર જન્મ આદિ જોવામાં આવે છે. આ રીતે નામેન્દ્ર અને પ્રત્યેન્દ્રમાં નથી, તેથી તે બંનેથી તેનો ભેદ છે.
કહેવાનો આશય એ છે કે, જે અર્થોમાં પરસ્પર વિરોધી ધર્મ રહે છે, તેમાં જો કોઈ સમાન ધર્મ પણ રહે છે, તો તેના લીધે વિરોધી પદાર્થોનો ભેદ દૂર નથી થતો. લોખંડ ભારે છે અને તેજ ભારથી રહિત છે. લોખંડ ઉષ્ણ નથી અને તેજ ઉષ્ણ છે, આ પ્રકારે બંને ભિન્ન છે. જ્યારે અગ્નિ લોખંડમાં પ્રવિષ્ટ થઈ જાય છે, તો અગ્નિની જેમ લોખંડ પણ દાહ ઉત્પન્ન કરે છે. દાહને ઉત્પન્ન કરવો, બંનેનો સમાન ધર્મ છે. તો પણ લોખંડ અને અગ્નિ એક નથી થઈ જતા બંનેમાં ભેદ રહે છે. તે જ રીતે અગ્નિના સંયોગથી જળ પણ બાળવા લાગે છે. પરંતુ જલ અને તેજ ભિન્ન રહે છે. લોખંડ અને જલની સાથે જે રીતે તેનો સંબંધ છે, તે રીતે નામનો નામવાન્ પદાર્થ,