________________
“જૈનદર્શનમાં નિક્ષેપયોજન"
પદાર્થના સ્વરૂપને જાણવા માટેના અનેક માર્ગ છે. પ્રમાણ, નય અને સપ્તભંગીની જેમ “નિક્ષેપ” પણ વસ્તુને જાણવાનો એક માર્ગ વિશેષ છે. જૈનદર્શનની તે એક અનોખી શૈલી છે. હવે અહીં જૈનતર્કભાષા અને અનુયોગ સૂત્ર ગ્રંથના આધારે નિક્ષેપની વ્યાખ્યા અને તેના પ્રકારનું વર્ણન કરવામાં આવે છે - નિક્ષેપનું સામાન્ય સ્વરૂપ : ___अथ नि:क्षेपा निरूप्यन्ते। प्रकरणादिवशेनाप्रतिपत्या(त्या) दिव्यवच्छेदकयथास्थान-विनियोगाय-शब्दार्थ-रचना-विशेषा निःक्षेपा:(1) । (જૈનમાષા)
અર્થ - હવે નિક્ષેપોનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રકરણ આદિ દ્વારા અપ્રતિપત્તિ આદિનું નિરાકરણ કરીને ઉચિત સ્થાને વિનિયોગ કરવા માટે શબ્દના વાચ્ય અર્થના વિષયમાં રચના વિશેષ નિક્ષેપ કહેવાય છે.
1. एवं निक्षेपणं निक्षेपः, निक्षिप्यते वा अनेनास्मिन्नस्मादिति वा निक्षेपः न्यासः स्थापनेति पर्यायाः। (अनु.सू. हारिभद्रीयवृत्ति) एवं निक्षेपणं शास्त्रादेर्नाम-स्थापनादिभेदैर्व्यसनं व्यवस्थापन निक्षेपः, निक्षिप्यते नामादिभेदैर्व्यवस्थाप्यते अनेनास्मिन्नस्मादिति वा निक्षेपः, वाच्यार्थविवक्षा તળેવા (મનુ.ફૂ. દેવેન્દ્રીયવૃત્તિ) |