________________
૨૭૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
નિક્ષેપનું ફલવત્ત્વ :
मङ्गलादि पदार्थनिःक्षेपान्नाममङ्गलादिविनियोगोपपत्तेश्च निःक्षेपाणां फलवत्त्वम्, तदुक्तम् - "अप्रस्तुतार्थापाकरणात् प्रस्तुतार्थव्याकरणाच्च નિ:ક્ષેપ: નવીન” () રૂતિ (જૈનતમાશા)
અર્થ - મંગલ વગેરે પદાર્થોના નિક્ષેપથી નામ મંગલ આદિનો વિનિયોગ થવાના કારણે નિક્ષેપ ફલવાનું છે. અન્યત્ર કહ્યું છે કે : “જેનું પ્રકરણ નથી, તે અર્થને હટાવવાથી અને જે અર્થનું પ્રકરણ છે, તેનું નિરૂપણ કરવાથી નિક્ષેપ ફળવાળો બને છે.”
કહેવાનો આશય એ છે કે, મગંલના વિષયમાં નિક્ષેપાઓના દ્વારા નામ મંગલ આદિનો ઉચિત વિનિયોગ નિક્ષેપાઓને ફળને પ્રકાશિત કરવાને માટે ઉદાહરણ છે. નામ આદિ નિક્ષેપાઓના ભેદથી મંગલ ચાર પ્રકારનું છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. જે વસ્તુ મંગલ સ્વરૂપ નથી. પણ તેનું નામ મંગલ રાખી દીધું છે, તે વસ્તુ નામ મંગલ કહેવાય છે. જે વર્ણાનું ઉચ્ચારણ કરીને મંગલ પદ બોલાય છે અથવા જે વર્ણોને લખીને મંગલ પદ લખાય છે, તે વર્ષોનો સમૂહ પણ નામ મંગલ છે. સ્વસ્તિક આદિનું ચિત્ર લોકમાં મંગલ રૂપ મનાય છે, તે સ્થાપના મંગલ છે. જેને કોઈ કાળમાં મંગલ શબ્દના વાચ્ય અર્થનું જ્ઞાન હતું અને તે જ્ઞાનથી ઉત્પન્ન સંસ્કાર તેના આત્મામાં પછી પણ છે, તે ઉત્તરવર્તી કાળમાં મંગલ જ્ઞાનના સંસ્કારથી યુક્ત થાય છે અને મંગલના જ્ઞાનથી જો રહિત હોય, તો દ્રવ્ય મંગલ કહેવાય છે. આવા પ્રકારના જ્ઞાતાનું જીવરહિત શરીર પણ દ્રવ્ય મંગલ કહેવાય છે. સુવર્ણ, રત્ન, દહીં, અક્ષત આદિ પણ દ્રવ્ય મંગલ છે. જેને મંગલ શબ્દના વાચ્ય અર્થનું વર્તમાનકાળમાં જ્ઞાન છે, તે આત્મા ભાવ મંગલ છે. જિનેન્દ્ર આદિના નમસ્કાર પણ ભાવ મંગલ છે. જે મંગલના