________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૮ ૧
સ્થાપના સભાવ સ્થાપના કહેવાય છે. આકારમાં સમાનતા ન હોતે જીતે જ્યારે ભિન્ન આકારના અર્થમાં અભેદ માની લેવામાં આવે છે ત્યારે અસદ્દભાવ સ્થાપના થાય છે. અક્ષ આદિમાં જ્યારે જિનેન્દ્રદેવ આદિની સ્થાપના થાય છે, ત્યારે અસદ્ભાવ સ્થાપના થાય છે. જિનેન્દ્ર દેવ અને અક્ષોમાં આકારનું સામ્ય કોઈ અંશમાં નથી. આકાર સમાન નથી, તેથી અક્ષમાં દેવની સ્થાપનાને નિરાકાર કહે છે. અક્ષ સર્વથા આકાર શૂન્ય નથી. અહીંયાં નિરાકાર શબ્દનો આકાર પદ, સમાન આકારને માટે પ્રયુક્ત થયો છે.
અહીંયાં ધ્યાન રાખવું જોઈએ કે, સ્થાપનાને માટે સમાન અથવા અસમાન આકારનું હોવું આવશ્યક નથી. કોઈ પ્રકારનો આકાર ન હોવા છતાં પણ વસ્તુમાં આકારનો આરોપ કરી લેવામાં આવે છે. અકાર ઈકાર આદિ વર્ષોનો કોઈ નાનો-મોટો આકાર ન આંખથી દેખાય છે અને ન ત્વચાથી સ્પર્શી શકાય છે, તો પણ અકાર આદિના આકારોની કલ્પના અનેક પ્રકારના સ્વરૂપોમાં કરવામાં આવે છે અને તેના દ્વારા વ્યવહાર ચાલે છે. વર્ષોની ભિન્ન ભિન્ન લિપિઓ અભેદના આરોપથી ઉત્પન્ન થઈ છે. પત્ર પર શાહીથી એક આકારને લખીએ છીએ અને તેને અકાર અથવા ઈંકાર કહીએ છીએ. લખેલો આકાર ચક્ષુથી દેખાય છે. પરંતુ ઉચ્ચારણથી ઉત્પન્ન થવાવાળો શબ્દ ચક્ષુ દ્વારા પ્રતીત થવાવાળા આકારથી શૂન્ય છે. નિરાકાર વર્ણનો કલ્પિત આકારમાં અભેદ માની લેવામાં આવે છે. આ અભેદનો આરોપ નેત્ર દ્વારા જોવા યોગ્ય આકારથી શૂન્ય વર્ણની રેખાઓમાં આરોપવામાં આવ્યો છે, તેથી નિરાકાર કહી શકાય છે.
ચિત્ર અને અક્ષ આદિમાં જે સ્થાપના કરવામાં આવે છે, તે જ્યાં સુધી ચિત્ર આદિ રહે છે ત્યાં સુધી રહે છે. ચિત્ર આદિ લુપ્ત થવાથી