________________
જૈનદર્શનમાં નિક્ષેપયોજન''
સારાંશ એ છે કે, નામ કે અર્થના પરિણામને નામ નિક્ષેપ કહેવાય છે. પરંતુ પરિણામ અર્થમાં સ્પષ્ટ છે, નામમાં નહીં. તો પણ ઉપચારથી શબ્દમાં કહેવાય છે. શબ્દ વાચક છે અને અર્થ વાચ્ય છે, આ કારણે શબ્દમાં અર્થનો અભેદ માનવામાં આવ્યો છે અને અર્થના પરિણામને શબ્દમાં કહેવાય છે. નામ નિક્ષેપ બે પ્રકારનો છે. એક તે છે, જે વાચ્ય દ્રવ્ય સ્થિર રહે છે, ત્યાં સુધી સ્વયં પણ રહે છે. મેરૂ, દ્વીપ સમુદ્ર આદિ નામ આ જ પ્રકારનાં છે. જ્યાં સુધી મેરૂ આદિ અર્થ રહે છે, ત્યાં સુધી
આ નામ પણ રહે છે. અન્ય નામ ભિન્ન પ્રકારનાં છે. દેવદત્ત આદિ નામ આ પ્રકારનાં છે. જે દેવદત્ત આદિ અર્થો રહેવા છતાં પણ બદલાઈ જાય છે. વસ્તુ રહેવા છતાં પણ નામોનું પરિવર્તન જોવામાં આવે છે. હવે અન્ય પ્રકારે નામનિક્ષેપનું સ્વરૂપ જણાવે છે.
66
૨૭૯
यथा वा पुस्तकपत्रचित्रादिलिखिता वस्त्वभिधानभूतेन्द्रादिवर्णावली । (નૈનત ભાષા)
અર્થ :- અથવા પુસ્તક, પત્ર અને ચિત્ર આદિમાં લિખિત વસ્તુની અભિધાનસ્વરૂપ ઈન્દ્ર આદિ વર્ણોની પંક્તિ પણ નામ છે.
કહેવાનો સાર એ છે કે, જ્યારે ઈન્દ્ર પદથી સ્વર્ગના અધિપતિનો અને ઐશ્વર્યથી રહિત નૃત્ય આદિનો બોધ થાય છે, ત્યારે વાચક અને વાચ્યનો ભેદ સ્પષ્ટ રહે છે. ક્યારેક ક્યારેક ઈન્દ્ર પદનો પ્રયોગ તે વર્ણોના સમુદાયમાં પણ કરવામાં આવે છે. જેના સમુદાયને ઈન્દ્ર કહેવાય છે. ‘‘ન્ દ્બ' તેનો ક્રમથી સમુદાય ઈન્દ્ર પદ રૂપ છે, તેને પણ ઈન્દ્ર કહેવાય છે. ઈન્દ્રનું ઉચ્ચારણ કરો, આ પ્રકારે જ્યારે કહે છે ત્યારે ઈન્દ્ર શબ્દનો વાચ્ય ઈન્દ્ર એટલા વર્ણોનો સમુદાય થાય છે. તે પણ નામ નિક્ષેપ છે. આ પ્રકારના નામ નિક્ષેપમાં વાચ્ય અને વાચકનો સ્પષ્ટ ભેદ પ્રતીત થતો નથી. અહીંયાં પણ મુખ્ય અર્થની ઉપેક્ષા