________________
૨૮ ૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સ્થાપના રહેતી નથી. નંદીશ્વરના ચેત્યોની પ્રતિમામાં જે સ્થાપના છે, તે શાશ્વત પ્રતિમાઓ હોવાના લીધે ચિરકાળ સુધી રહે છે. જ્યાં સુધી પ્રતિમાઓની કથા ચાલે છે, ત્યાં સુધી સ્થાપના સ્થિર રહે છે, તેથી યાવસ્કથિક કહેવાય છે. દ્રવ્ય નિક્ષેપનું સ્વરૂપ :
भूतस्य भाविनो वा भावस्य कारणं यन्निक्षिप्यते स द्रव्यनिःक्षेप:(3) यथाऽनुभूतेन्द्रपर्यायोऽनुभविष्यमाणेन्द्रपर्यायो वा इन्द्रः, अनुभूतघृताधारत्वपर्यायेऽनुभविष्यमाणघृतपर्याये च घृतघटव्यपदेशवत्तत्रेन्द्रशब्दव्यपदेशोपपत्तेः। (જૈનતમાલા)
અર્થ - ભૂતકાલીન ભાવ અથવા ભાવી ભાવનું છે કારણ નિક્ષિપ્ત કરવામાં આવે છે, તે દ્રવ્ય નિક્ષેપ છે. જેમ કે, જે ભૂતકાળમાં ઈન્દ્ર પર્યાયનો અનુભવ કરી ચૂક્યા છે અથવા જે ભાવી કાળમાં ઈન્દ્ર પર્યાયનો અનુભવ કરશે તે ઈન્દ્ર છે. જે ઘટમાં ઘૂત ભૂતકાળમાં રાખવામાં આવ્યું હતું અથવા ભાવીકાળમાં જેમાં વૃત રાખવામાં આવશે, તેમાં જે પ્રકારે વૃતઘટનો વ્યવહાર થાય છે, તે રીતે તે પૂર્વોક્ત મનુષ્યમાં પણ ઈન્દ્ર શબ્દનો વ્યવહાર થઈ શકે છે.
સારાંશ એ છે કે, જેમાં ક્યારેક ઘીને રાખવામાં આવ્યું હતું અથવા જેમાં ઘી રાખવામાં આવશે, તે ઘટને વર્તમાન કાળમાં ઘૂત સાથે સંબંધ ન હોવા છતાં પણ લોકો વૃતનો ઘટ કહી દે છે. ધૃતનો આધાર હોવો પર્યાય છે, એ પર્યાય ઘટ વિના થઈ શકતો નથી. તેથી ઘટ પર્યાયનું કારણ છે. કારણ હોવાથી અહીંયાં ઘટ દ્રવ્ય કહેવાય છે. કારણ હોવા છતાં પણ તેનો વ્યવહાર પર્યાય દ્વારા થાય છે. 3. भूतस्य भाविनो वा, भावस्य हि कारणं तु यल्लोके। तद्रव्यं तत्त्वज्ञैः, सचेतनाचेतनं कथितम् // (અનુ.ફૂ. ૨૨, વૃત્તિ)