________________
૨૮૪
જૈનદર્શનના મહત્વના સિદ્ધાંતો
અંગારમર્દકની કથા આ પ્રકારે છે. ગર્જનક નામના નગરમાં એકવાર આચાર્યશ્રી વિજયસેનસૂરિ નામના આચાર્ય ભગવંત આવ્યા. તેઓએ એક દિવસ પોતાના શિષ્યોને કહ્યું, આજે એક આચાર્ય આવશે, પણ તે ભવ્ય નથી, તેના કહેતાં કહેતાં જ રૂદ્રદેવ નામના આચાર્ય પોતાના સાધુઓના પરિવારની સાથે ત્યાં આવી પહોંચ્યા, તેની પરીક્ષાને માટે સાધુઓએ પ્રશ્રવણ ભૂમિમાં અંગારા નાખી દીધા. જ્યારે અતિથિ સાધુ બહાર નીકળ્યા અને પગોથી આઘાત થવાના કારણે “કિસ-કિસ” શબ્દ થયો તો તેઓ મિથ્યા દુષ્કૃત કહીને પાછા વળી ગયા. તેઓએ ત્યાં દિવસમાં જોવાની ઈચ્છાથી ચિહ્ન કર્યું. ઉપર આચાર્ય રૂદ્રદેવ કોલસાઓને મસળીને ધ્વનિ ઉત્પન્ન કરતાં ચાલ્યા ગયા અને કહેતા ગયા પ્રમાણોથી અહીંયાં જીવ સિદ્ધ નથી થતો, તો પણ જિનેન્દ્રોએ જંતુઓનો નિર્દેશ કર્યો છે. આ બધું સાંભળીને આચાર્ય શ્રી વિજયસેનસૂરિએ રૂદ્રદેવના શિષ્યોને કહ્યું : આ અભવ્ય છે, આપ એને છોડી દો. આચાર્ય રૂદ્રદેવ જ અંગારમર્દક નામથી પ્રસિદ્ધ થયા. ભાવ ચારિત્રથી રહિત હોવાના કારણે તે મોક્ષને પ્રાપ્ત કરી ન શક્યા અને સંસારમાં જ રહ્યા. હવે અન્ય દૃષ્ટિકોણથી “વ્ય” શબ્દનો પ્રયોગ જણાવે છે.
क्वचिदनुपयोगेऽपि, यथाऽनाभोगेनेहपरलोकाद्याशंसालक्षणेनाविधिना च भक्त्यापि क्रियमाणा जिनपूजादि क्रिया द्रव्यक्रियैव, अनुपयुक्तक्रियायाः साक्षान्मोक्षाङ्गत्वाभावात्। भक्त्याऽविधिनापि क्रियमाणा सा पारम्पर्येण मोक्षाङ्गत्वापेक्षया द्रव्यतामश्नुते, भक्तिगुणेनाविधिदोषस्य निरनुबन्धीकृतत्वादित्याचार्या : (जैनतर्कभाषा)
અર્થ :- જેમ ઉચિત ઉપયોગ વિના અને ઈહલોક - પરલોક આદિની ઈચ્છારૂપ વિરુદ્ધ વિધિથી ભક્તિ સાથે પણ કરવામાં આવતી જિનપૂજા આદિ ક્રિયા દ્રવ્ય ક્રિયા છે. ઉપયોગ રહિત ક્રિયા સાક્ષાત્ મોક્ષનું