________________
૨૮૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કરીને સંકેતને લીધે ઈન્દ્ર પદ વર્ણોના સમુદાયનો વાચક છે. સ્થાપના નિક્ષેપનું સ્વરૂપ :
यत्तु वस्तु तदर्थवियुक्तं तदभिप्रायेण स्थाप्यते चित्रादौ तादृशाकारम्, अक्षादौ च निराकारम्, चित्राद्यपेक्षयेत्वरं नन्दीश्वरचैत्यप्रतिमाद्यपेक्षया च यावत्कथिकं स स्थापना नि:क्षेपः, यथा जिनप्रतिमा स्थापनाजिनः, यथा चेन्द्रप्रतिमा स्थापनेन्द्रः। (जैनतर्कभाषा)
અર્થ - જે વસ્તુ તે અર્થથી રહિત હોય અને તેના અભિપ્રાયથી સ્થાપિત હોય તે સ્થાપના નિક્ષેપ છે. ચિત્ર આદિમાં તે વસ્તુના સમાન આકારવાળો હોય છે અને અક્ષ આદિમાં આકારરહિત હોય છે. ચિત્ર આદિની અપેક્ષાએ તે અલ્પકાળ સુધી સ્થિર રહેવાવાળો (ફુર્વ નિવ) હોય છે અને નન્દીશ્વર દ્વીપના ચૈત્યોની પ્રતિમાની અપેક્ષાએ ભાવથ હોય છે. જેમ કે, જિન પ્રતિમા સ્થાપના જિન છે અને ઈન્દ્રની પ્રતિમા સ્થાપના ઈન્દ્ર છે.
કહેવાનો સાર એ છે કે, બે અર્થોમાં ભેદ હોવાથી એકમાં જે અન્યના અભેદનો આરોપ કરવામાં આવે છે, તે સ્થાપના છે. મન દ્વારા ભેદમાં અભેદનો આરોપ થાય છે. આ અભેદનો આરોપ સ્થાપનાનું મૂળભૂત તત્વ છે. અભેદનો આરોપ ક્યાંક સમાન આકારને લઈને કરવામાં આવે છે, તો ક્યાંક આકાર સમાન ન હોવા છતાં પણ કરવામાં આવે છે. ગો અથવા અશ્વના આકારને કાષ્ઠમાં, પત્થરમાં કે પત્રમાં જોઈને કહેવાય છે કે, “આ ગી છે, આ અશ્વ છે” જોવાવાળો કાષ્ઠ આદિના અને ગી આદિના ભેદને જાણે છે, પરંતુ આકાર સમાન હોવાથી ચેતન ગો આદિનો અચેતન કાષ્ઠ આદિમાં આરોપ કરે છે. એક અચેતનમાં ભિન્ન અચેતનનો પણ આરોપ કરવામાં આવે છે. વૃક્ષ, પર્વત આદિના ચિત્રને વૃક્ષ અને પર્વત સમજીને વ્યવહાર ચાલે છે. આ પ્રકારના વ્યવહારનું મૂળ સ્થાપના છે. આ પ્રકારની