________________
“જેનદર્શનમાં નિક્ષેપયોજન”
૨૭૭
આ ચાર નિક્ષેપાઓને જાણે છે, તેને મંગલ શબ્દના વાચ્ય અર્થના વિષયમાં સંદેહ અથવા ભ્રમ ઉત્પન્ન થતો નથી. તે પ્રકરણ અનુસાર જેમાં અભિપ્રાય છે, તે અર્થને જાણી લે છે અને અર્થનો ઉચિત વિનિયોગ કરે છે. નિક્ષેપના ચાર પ્રકાર :
ते च सामान्यतश्चतुर्धा-नामस्थापनाद्रव्यभावभेदात्।(2) (जैनतर्कभाषा)
અર્થ - અને તે નિક્ષેપ સામાન્ય રૂપે ચાર પ્રકારનાં છે. નામ સ્થાપના, દ્રવ્ય અને ભાવ ભેદથી. નામ નિક્ષેપનું સ્વરૂપ :
तत्र प्रकृतार्थनिरपेक्षो नामान्यतरपरिणतिर्नामनि:क्षेपः। यथा सङ्केतितमात्रेणान्यार्थस्थितेनेन्द्रादिशब्देन वाच्यस्य गोपालदारकस्य शक्रादिपर्यायशब्दानभिधेया परिणतिरियमेव वा यथान्यत्रावर्तमानेन यदृच्छाप्रवृत्तेन डित्थडवित्थादि शब्देन वाच्या। (जैनतर्कभाषा)
અર્થ ? તેમાં પ્રકૃતિ અર્થની અપેક્ષાથી રહિત નામ અથવા અર્થની પરિણતિ નામ નિક્ષેપ છે. જેમ અન્ય અર્થમાં સ્થિત ઈન્દ્ર આદિ શબ્દ દ્વારા કેવળ સંકેતથી વાચ્ય ગોપાલ પુત્રની પરિણતિ, જે શક્ર આદિ પર્યાય શબ્દોથી નથી કહી શકાતી અથવા એ જ અર્થની પરિણતિ કેવળ ઈચ્છાથી પ્રયુક્ત કોઈપણ અન્ય અર્થના અવાચક “સ્થિ-વિસ્થ” આદિ શબ્દથી વાચ્ય હોય તો નામ નિક્ષેપ છે.
કહેવાનો આશય એ છે કે, ઈન્દ્ર શબ્દનો મુખ્ય અર્થ સ્વર્ગનો અધિપતિ ઈન્દ્ર છે, તેની અપેક્ષા વગર ગોપાલના પુત્રમાં જ્યારે ઈન્દ્ર પદનો સંકેત કરવામાં આવે છે, તો ઈન્દ્ર નામ ગોપાલ પુત્રનો બોધ
2. નામસ્થાપનાદ્રિવ્યમાવતતન્યાસ: II ત.ફૂ. ૨/૧/