________________
સપ્તભંગી
અસત્ત્વની સાથે અભેદ છે, તે રીતે શેષ ધર્મોની સાથે પણ અભેદ છે. (૨) દ્વિતીય પ્રકારનું નિરૂપણ
यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेवान्यानन्तगुणानामपीत्यात्म रूपेणाभेदवृत्तिः।
અર્થ :- જીવ આદિનો અથવા ઘટ આદિનો ગુણ હોવો. જે રીતે અસ્તિત્વનું આત્મરૂપ છે, તે રીતે અનંત ગુણોનું પણ આ જ આત્મરૂપ છે, આ રીતિથી આત્મરૂપ દ્વારા અભેદ વૃત્તિ છે. (૩) તૃતીય પ્રકારનું નિરૂપણ
य एव चाधारोऽर्थो द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः।
અર્થ - જે દ્રવ્યરુપ અર્થ અસ્તિત્વનો આધાર છે, તે જ અન્ય ધર્મોનો આધાર છે. આ કારણે અર્થ દ્વારા અમેદવૃત્તિ છે. (૪) ચોથા પ્રકારનું નિરૂપણ :
य एव चाविष्वग्भावः सम्बन्धोऽस्तित्वस्य स एवान्येषामिति सम्बन्धेनाभेदवृत्तिः।
અર્થ : અસ્તિવનો જીવ આદિની સાથે જે અવિષ્યભાવ નામનો સંબંધ છે. તે જ સંબંધ અન્ય ધર્મોનો પણ છે, આ રીતે સંબંધ દ્વારા અભેદવૃત્તિ છે. (૫) પાંચમા પ્રકારનું નિરૂપણ ઃ
य एव चोपकारोऽस्तित्वेन स्वानुरक्तत्वकरणं स एवान्यैरपीत्युपकारेणाभेदवृत्तिः।
અર્થ : અસ્તિત્વ જે ઉપકારને કરે છે, તે જ ઉપકાર અન્ય ધર્મ પણ કરે છે. તે ઉપકારથી અભેદવૃત્તિ છે. અહીંયાં ઉપકારનો અર્થ છે પોતાના રંગમાં રંગવુ. અસ્તિત્વના કારણે વસ્તુ સત્ પ્રતીત થાય છે. પ્રમેયત્વના લીધે પ્રમેય પ્રતીત થાય છે. વાચ્યત્વના લીધે વાચ્ય પ્રતીત થાય છે. લાલ રંગ વસ્ત્રને લાલ અને પીળો રંગ વસ્ત્રને પીળું કરે છે. અસ્તિત્વ આદિ