________________
સપ્તભંગી
સ્વરૂપ વસ્તુનો વાચક છે, તે જ અન્ય અનંતધર્મોના સ્વરૂપમાં પ્રતીત થવાવાળી વસ્તુનો વાચક છે, આ રીતે શબ્દથી અભેદ વૃત્તિ છે. પ્રત્યેક પ્રકારમાં અધિક સ્પષ્ટતા કરવા માટે જણાવે છે કે –
पर्यायार्थिकनयगुणभावेन द्रव्यार्थिकप्राधान्यादुपपद्यते।
અર્થ - પર્યાયાર્થિક નય ગૌણ થવાથી અને દ્રવ્યાર્થિક નય પ્રધાન થવાથી આ અભેદ થાય છે.
કહેવાનો આશય એ છે કે, દ્રવ્ય પર્યાયોમાં અનુગત રહે છે. પૃથ્વી દ્રવ્ય છે, તે ઇંટ-પથ્થર-ઘટ આદિમાં અનુગત હોવાથી અભિન્ન છે. ઇંટ, પથ્થર આદિનો આકાર આદિ ભિન્ન રહે છે, પૃથ્વીરૂપે એ બધા અભિન્ન છે. આ જ રીતે દ્રવ્યોમાં જે અનેક ધર્મ રહે છે, તે દ્રવ્યની અપેક્ષાએ અભિન્ન છે. દ્રવ્યનું સ્વરૂપ જ્યારે મુખ્ય રહે છે, ત્યારે કાલ આદિના કારણે સમસ્ત ધર્મોનો અભેદ પ્રતીત થાય છે. આ દશામાં પર્યાય ગણ થાય છે, તેથી ધર્મોનો ભેદ મુખ્યરૂપે પ્રતીત થતો નથી.
द्रव्यार्थिक-गुणभावेन पर्यायाथिकप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः સન્મવતિા.
અર્થ : દ્રવ્યાર્થિકનય ગૌણ થવાથી અને પર્યાયાર્થિક નય પ્રધાન થવાથી ગુણોની અભેદવૃત્તિ થઈ શકતી નથી.
કહેવાનો સાર એ છે કે, કાલ આદિ દ્વારા એક ધર્મની સાથે અન્ય અશેષ ધર્મોનો ભેદ પ્રતીત થાય છે, તો પણ અભેદનો ઉપચાર કરીને એક શબ્દ એક કાળે અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરે છે. તેથી પ્રત્યેક ભાંગો સકલાદેશ થઈ જાય છે.
કાલ આદિ આ દશામાં અભેદનું પ્રતિપાદન જે કારણોથી નથી કરતા, તેનું નિરૂપણ કરવા માટે હવે કહે છે કે, (१) समकालमेकत्र नानागुणानामसम्भवात्, सम्भवे वा तदाश्रयस्य भेदप्रसङ्गात्।
અર્થ : (૧) એક કાળમાં એક ધર્મીમાં અનેક ગુણ નથી હોઈ