________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
પ્રમાણનયતત્ત્વાલોક ગ્રંથમાં સૂત્રો દ્વારા ક્રમશઃ જણાવે છે કે,
विधिप्रधान एव ध्वनिरिति न साधु ।।४ - १२ ।। ('शब्द: प्राधान्येन विधिमेवमभिधत्ते न निषेधम्' इति कथनं न युक्तमित्यर्थः ।। २२ ।।) શબ્દ પ્રધાનતાએ વિધિ જ બતાવે છે, નિષેધને નહી, આ કથન યુક્ત નથી, કારણ કે,
निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्ते: ।।४ - २३ ।। (शब्दो यदि एकान्ते विधिबोधक एव भवेत् तर्हि तस्माद् निषेधस्य ज्ञानं कदापि न स्यात्, निषेधज्ञानं तु अनुभवसिद्धं, तस्मान्न विधिबोधक एव शब्दः किन्तु निषेधबोधकोऽपीति ભાવ:।।૨૩।।)
૨૫૬
જો શબ્દ એકાંતે વિધિબોધક જ હશે, તો તેનાથી નિષેધનું જ્ઞાન કદાપિ નહીં થાય, પણ નિષેધનું જ્ઞાન તો અનુભવસિદ્ધ છે. તેથી શબ્દ માત્ર વિધિબોધક નથી, પરંતુ નિષેધબોધક પણ છે જ. હવે આગળ શંકાનું સમાધાન કરતાં જણાવે છે કે,
अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्त इत्यप्यसारम् ।।४-२४।। (ननु भवतु शब्दो निषेधबोधकोऽपि तथाऽपि अप्रधानभावेनैव तमभिधत्ते इति चेत्, તવવ્યસારમ્ ।।૨૪।।)
શંકા : શબ્દ ભલે નિષેધબોધક પણ હોય, પણ શબ્દ અપ્રધાનતાએ નિષેધનું કથન કરે છે.
क्वचित् कदाचित् कथञ्चित् प्राधान्येनाप्रतिपन्नस्य तस्याप्राधान्यानुपपत्तेः ।।४ - २५ ।। (निषेधस्य कुत्रचित् प्राधान्येन भानाभावेऽन्यत्राप्राधान्येन भानं न भवितुमर्हति तस्मात् शब्दः कुत्रचित् प्राधान्येनापि निषेधमभिधत्ते ત્યજ઼ી રળીયમ્ ।।૨૧।।)
તમારી વાત અસત્ય છે. કારણ કે, જો નિષેધનું કોઈ સ્થળે પ્રધાનતાએ ભાન નથી થતું, તો અન્ય સ્થળે તેનું અપ્રધાનતાએ ભાન થવાનું શક્ય નહીં બને. તેથી શબ્દ કોઈ સ્થળે પ્રધાનતાએ નિષેધનું કથન કરે છે, એમ સ્વીકારવું જોઈએ.
આ રીતે પ્રથમ ભાંગાની એકાંત પ્રરૂપણાનું ખંડન કરીને હવે બીજા