________________
સપ્તભંગી
૨ ૫ ૫
પ્રતિપાદ્ય સત્ત્વની સાથે કહેવા માંગે છે, ત્યારે પાંચમો ભાંગો પ્રવૃત્ત થાય છે. સ્વ દ્રવ્ય આદિની અપેક્ષાએ સત્ત્વનું અલગ નિરૂપણ કરવા માંગે છે. તેની સાથે જ સ્વદ્રવ્ય આદિની અપેક્ષાએ સત્ત્વને અને પર-દ્રવ્ય આદિની અપેક્ષાએ અસત્ત્વને પ્રધાનરૂપે એક સાથે કહેવા માંગે છે - ત્યારે પાંચમો ભાંગો થાય છે. કથંચિત સત્ત્વ અને કથંચિત્ અવક્તવ્યત્વ આ બે ધર્મોને પ્રકારરૂપે અને ઘટ આદિ એક ધર્મને વિશેષ્ય રૂપે પ્રકાશિત કરવો તે પાંચમા ભાંગાનું અસાધારણ સ્વરૂપ છે. “ચાત્ સ્તિ વ સ્થા વક્તવ્યમેવ” આ પાંચમા ભાંગાનો આકાર છે.
બીજા ભાંગામાં અસત્ત્વનું અને ચોથામાં અવક્તવ્યનું પ્રતિપાદન છે. બંનેને મેળવવાથી છઠ્ઠો ભાંગો પ્રગટ થાય છે. છઠ્ઠા ભાંગાથી જ્યારે જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે કોઈ અપેક્ષાએ અસત્ત્વ અને કોઈ અપેક્ષાએ અવક્તવ્યત્વ પ્રકારરૂપમાં પ્રતીત થાય છે. ઘટ આદિ ધર્મી વિશેષ્ય રૂપે પ્રતીત થાય છે, આ પ્રકારના જ્ઞાનને ઉત્પન્ન કરવું તે છઠ્ઠા ભાંગાનું લક્ષણ છે.
ત્રીજા ભાંગામાં ક્રમશઃ સત્ત્વ અસત્ત્વ ધર્મોનું પ્રકાશન થાય છે. ચોથા ભાંગા દ્વારા અવક્તવ્યત્વનું પ્રકાશન થાય છે. જ્યારે કોઈ અપેક્ષાએ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મ ક્રમશ: પ્રતીત થાય છે અને અપેક્ષાએ અવક્તવ્યત્વ પણ પ્રતીત થાય છે, ત્યારે સાતમો ભાંગો થાય છે. સાતમા ભાંગામાં ક્રમશઃ સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મ પ્રકારે રૂપે પ્રતીત થાય છે. આ કારણે પાંચમા અને છઠ્ઠા ભાંગાથી સાતમા ભાંગાનો ભેદ છે. પાંચમાં ભાંગામાં અપેક્ષાએ કેવળ સત્ત્વ અને છઠ્ઠા ભાંગામાં કેવળ અસત્ત્વ પ્રકારરૂપે પ્રતીત થાય છે. સાતમા ભાંગાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમાં અપેક્ષા દ્વારા સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મ પ્રકારરૂપે પ્રતીત થાય છે. એકાંત સપ્તભંગી સ્યાદવાલ્તી સમર્થક નથી :
અહીં ઉલ્લેખનીય છે કે, પૂર્વનિર્દિષ્ટ સપ્તભંગીમાં એકાંત વિકલ્પ કરવાથી તે અસમ્યક્ બની જાય છે. તેથી એકાંત વિકલ્પથી સર્જિત સપ્તભંગી સ્યાદ્વાદની સમર્થક બની શકતી નથી. આ વાતને સ્પષ્ટ કરતાં