________________
સપ્તભંગી
૨ ૫૩
તે પણ બંને ધર્મોનું પ્રધાનરૂપથી પ્રતિપાદન નથી કરી શકતો. દ્વન્દ સમાસમાં યદ્યપિ બંને પદ પ્રધાન હોય છે, તો પણ અહીંયાં દ્રવ્યનો બોધક દ્વન્દ ઉપયોગી નથી. અહીંયાં બે દ્રવ્યોનું નહીં પરંતુ બે ધર્મોનું પ્રતિપાદન છે. જે દ્વન્દ્ર ગુણોનો બોધક હોય છે. તે પણ દ્રવ્યમાં રહેવાવાળા ગુણોનું પ્રકાશન કરે છે. તે બે પ્રધાન ધર્મોનું પ્રતિપાદન નથી કરી શકતો. તપુરૂષ સમાસ ઉત્તર પદના અર્થનું પ્રધાનરૂપથી પ્રકાશન કરે છે, તેથી તે પણ બે ધર્મોનાં પ્રધાનરૂપથી પ્રતિપાદનમાં અસમર્થ છે. દ્વિગુ સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચી હોય છે, તેથી તેનો અહીંયાં અવસર નથી. કર્મધારય સમાસ ગુણી દ્રવ્યને કહે છે, તેથી બે ધર્મ પ્રધાનરૂપથી તેના વિષય નથી થઈ શકતા.
જે સમાસનો અર્થ છે તે જ વાક્યનો અર્થ હોય છે. સમાસ અસમર્થ હોવાના કારણે વાક્ય પણ બે પ્રધાન ધર્મોનું અસાધારણ સ્વરૂપની સાથે પ્રતિપાદન નથી કરી શકતું. આથી આ અપેક્ષાએ અર્થ અવક્તવ્ય છે.
સત્ અને અસત્ શબ્દનો પ્રયોગ સમાસમાં અથવા વાક્યમાં ક્રમથી થઈ શકે છે. આ દશામાં જો સત્ શબ્દ સત્ત્વ અને અસત્ત્વને એક કાળમાં કહે, તો પોતાના વાચ્ય અર્થ સત્ત્વની જેમ અસત્ત્વને પણ સરૂપમાં પ્રકાશિત કરશે. જો અસત્ શબ્દ સત્ત્વ અને અસત્ત્વને એક કાળમાં કહે, તો પોતાના વાચ્ય અર્થ અસત્ત્વની જેમ સત્ત્વને પણ અસત્ત્વ રૂપમાં પ્રકાશિત કરશે. વસ્તુતઃ સત્ અસત્નો અને અસત્ સત્નો વાચક નથી થતો. આથી એક શબ્દ એક કાળમાં પરસ્પર વિરોધી ભાવ અને અભાવનો વાચક નથી થઈ શકતો. હવે બાકીના ત્રણ ભાંગાઓનું સ્વરૂપ બતાવે છે. પાંચમા, છઠ્ઠા અને સાતમા ભાંગાઓનું સ્વરૂપ :
स्यादस्त्येव स्यादक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः। 7) स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया
7. अथ पञ्चमभङ्गोल्लेखमुपदर्शयन्ति - स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च पञ्चमः ।।४-११॥ स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वे सति अस्तित्वनास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्वं वस्तु, इति स्यादस्तित्वविशिष्टस्यादवक्तव्यमेवेति पञ्चमो મઃ ૧૨ (પ્ર.ન.તસ્વા.)