________________
૨ ૪૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો पदेन युगपदुभयोर्वक्तुमशक्यत्वात्।(6)
અર્થ : કોઈ અપેક્ષાએ બધા પદાર્થ અવક્તવ્ય જ છે. આ રીતે એક કાળમાં પ્રધાનરૂપે વિધિ અને નિષેધની વિવક્ષાને કારણે ચોથો ભાંગો થાય છે, એક પદ એક કાળમાં વિધિ અને નિષેધનું કથન નથી કરી શકતું, તેથી અર્થ અપેક્ષાએ અવક્તવ્ય છે.
અહીંયાં કહેવાનો આશય એ છે કે, અસત્ત્વને ગૌણ કરીને મુખ્ય રૂપે સત્ત્વનું પ્રતિપાદન કરવું હોય તો પ્રથમ ભાંગો થાય છે. તેનાથી વિપરીત સત્ત્વને ગણરૂપે અને અસત્ત્વને મુખ્ય રૂપે કહેવું હોય તો બીજો ભાંગો થાય છે. સત્ત્વ અને અસત્ત્વ બંને ધર્મોનું મુખ્યરૂપે નિરૂપણ કરવું હોય તો કોઈપણ વચન તેના માટે સમર્થ નથી, તેથી અર્થ અવાચ્ય છે. અર્થમાં કોઈ ધર્મનું નિરૂપણ એક કાળમાં મુખ્ય અથવા ગૌણરૂપે થઈ શકે છે. બંને પરસ્પર વિરોધી ધર્મોને મુખ્ય રૂપે કે ગૌણરૂપે કહી શકાતા નથી. બંને ધર્મ એક અર્થમાં, એક કાળમાં ગૌણ અથવા મુખ્ય નથી થઈ શકતા. અર્થમાં આ પ્રકારનું સ્વરૂપ અસંભવ છે, તેથી તેનું વાચક પદ પણ નથી, વાચકથી રહિત હોવાના કારણે અર્થ અવક્તવ્ય છે.
અવક્તવ્ય ભાંગાનું નિરૂપણ અનેક પ્રકારે થઈ શકે છે. અર્થમાં સ્વરૂપની અપેક્ષાએ એકાંત સત્ત્વ જ નથી અને પર રૂપની અપેક્ષાએ એકાંત અસત્ત્વ જ નથી. કેવળ સત્ત્વ અથવા અસત્ત્વને માનીને કોઈ શબ્દ વડે અર્થનું કથન થઈ શકતું નથી, તેથી અર્થ અવાચ્ય છે. કેવળ સત્ત્વ અથવા કેવળ અસત્ત્વ સર્વથા અવિદ્યમાન છે, તેથી તેનો કોઈ વાચક નથી થઈ શકતો.
જો અર્થ બધા પ્રકારે સત્ જ હોય, તો તેની કોઈ અન્ય અર્થથી વ્યાવૃત્તિ નહીં થઈ શકે. તે મહાસામાન્ય સત્તાની જેમ બધા સ્થાને રહેશે, તેથી વિશેષરૂપે પ્રતીત નહીં થઈ શકે. જો ઘટ સર્વથા સત્ હોય,
6. इदानीं चतुर्थभङ्गोल्लेखमाविर्भावयन्ति-स्यादवक्तव्यमेवेति युगपद्विधि-निषेधकल्पनया चतुर्थः ।।४-१८ ।। यदा अस्तित्व-नास्तित्वधर्मो युगपत्प्रधानभावेन विवक्षितौ, तदा तादृशयुगपद्धर्मद्वयबोधकशब्दाभावादवक्तव्यमेवेति चतुर्थो भङ्गः ।।१८।। (प्र.न.तत्त्वा.)