________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ સ્વરૂપ) છે(39) ? કે અનર્થાન્તરભૂત છે (અલગ અર્થ સ્વરુપ) નથી?
જો વિશેષ અર્થાન્તરભૂત છે, તો સામાન્યથી અર્થાન્તર થવાથી (સામાન્ય વિના) આકાશકુસુમની જેમ તેનું અસ્તિત્વ જ ન હોય. તેથી તે (વિશેષ) (સામાન્ય વિના) જ નથી અને જો વિશેષ અનર્થાન્તરભૂત છે. ત્યારે તો તે સમાન્ય જ છે, તેનાથી અતિરિક્ત નથી. તેથી સામાન્યથી અતિરિક્ત વિશેષ નથી.
૧૪૨
સંગ્રહનયના પ્રકાર :
(૧) પરસંગ્રહનય : આ નયનું સ્વરૂપ જણાવતાં જૈનતર્કભાષામાં કહ્યું છે કે
:
तत्राशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः પર: સંગ્રહ: । યથા-વિશ્વમેળ સવિશેષાવિત્તિ (40)
તેમાં બધા જ વિશેષોમાં ઉદાસીનતાને ધારણ કરવાવાળો અને માત્ર શુદ્ઘ દ્રવ્ય ‘‘સત્'' નો સ્વીકા૨ ક૨વાવાળો પ૨સંગ્રહ નય કહેવાય છે. જેમ કે, ‘વિશ્વ એક છે. કારણ કે, સત્ રૂપથી ભેદ (વિશેષ) નથી.’’ વિશ્વમે સવિશેષાત્ - વિશ્વ એક સ્વરૂપ છે. કારણ કે, “સત્’ ઈત્યાકારક જ્ઞાન-નામ દ્વારા અવિશેષ (સામાન્ય) રૂપથી માલુમ પડે છે. આ અનુમાન દ્વારા સકલ વિશેષોમાં ઉદાસીનતાને અવલંબિત કરતો, “સત્તા’’ અદ્વૈતનો સ્વીકાર કરતો અભિપ્રાય વિશેષ પ૨સંગ્રહ નય છે. 39. તથા = મન્યતે - વિશેષા: સામાન્યતોન્તિમૂતા: યુ: ? અનર્થાન્તરમૂતા વા? યદ્યર્થાન્તર્મૂતા: न सन्ति सामान्यादर्थान्तरत्वात्, खपुष्पवत्। अथानर्थान्तरभूताः, सामान्य मात्रं तदव्यतिरिक्तत्वात्, स्वरूपवत्। 40. ગોવિશેષથ્વીવાસીન્ય મનમાન: શુદ્ધદ્રવ્ય સન્માત્રમમિમન્યમાન: પસંગ્રહઃ ||૭-૧૧|| વિશ્વને વિશેષાવિતિ યથા ।।૭-૨ ૬ ।। વિશ્વ-નાત, મ્-રસ, સવિશેષાત્ - ‘સત્’ - इत्याकारक ज्ञानाभिधानाभ्यामविशेषरूपेण ज्ञायमानत्वात् अनेनानुमानेन सकलविशेषेष्वौदासीन्यमवलम्बमानः सत्ताद्वैतं स्वीकुर्वाणोऽभिप्रायविशेषः ।। (प्र.न. तत्त्वा) ।। अस्मिन्नुक्ते हि सदिति ज्ञानाभिधानानुवृत्तिलिङ्गानुमितसत्ताकत्वेनैकत्वेनैकत्वमशेषार्थानां संगृह्यते ।। (नयामृतम्-पृ-७७)