________________
નયવાદ
૧ ૭૯
પટની વચ્ચે પણ ભેદ નહિ રહે - બંને અભિન્ન થઈ જશે.
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં 77) વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, જે જે ઘટાદિ સ્વરૂપ સંજ્ઞાને કહે છે, તે તે સંજ્ઞાને કુટ-કુંભાદિ સંજ્ઞાન્તરાર્થથી વિમુખ રહીને (અર્થાત્ કુટ-કુંભ આદિ શબ્દના વાચ્યાર્થ નિરપેક્ષ) અનુસરણ કરવાવાળો જે અભિપ્રાય છે, તે સમભિરૂઢ નય કહેવાય છે. સમભિરૂઢ નય તે તે ઘટાદિ શબ્દના વાર્થના રૂપમાં ઘટાદિ અર્થોને જ વિષય કરે છે. પરંતુ ઘટાદિ શબ્દના વાચ્યાર્થના રૂપમાં ઘટાદિથી અતિરિક્ત અર્થોને વિષય નથી કરતો, તેથી તે પ્રત્યેક શબ્દના વાર્થને ભિન્ન-ભિન્ન માને છે, આ કારણે અનેક અર્થ સમભિરૂઢના વિષય બને છે. જે ઘટ શબ્દનો વાચ્યાર્થ છે, તેને કુંભ-કુટ આદિ પર્યાયવાચી શબ્દનો વાચ્ય સમભિરૂઢ નય માનતો નથી.
નય રહસ્ય (78) ગ્રંથમાં આ નયના સ્વરૂપની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ઘટ-પટાદિ અર્થોનો તથા ઘટ શબ્દવા વિશિષ્ટ-ચેષ્ટાયુક્ત અર્થ, કુત્સિત પૂરણરૂપ કુંભ શબ્દના અર્થ અને કૌટિલ્ય વિશિષ્ટ કુટ શબ્દ વાગ્ય અર્થોનું સંક્રમણ ન હોય, તે રીતે ગવેષણ કરવામાં તત્પર જે રહે છે, તે અભિપ્રાય વિશેષને સમભિરૂઢ નય કહેવાય છે.
ઘટાદિરૂપ જે સંજ્ઞાનું ઉચ્ચારણ થાય છે, તે સંજ્ઞા ઉપર જે સમ્ય
77. जं जं सण्णं भासइ तं तं चिय समभिरोहए जम्हा। सण्णंतरत्थविमुहो तओ णओ समभिरूढो त्ति ।। विशेषा. २२३६।। यां यां संज्ञां 'घट' इत्यादिरुपां भाषते तां तामेव यस्मात् संज्ञान्तराभिमुख: कुटकुम्भादिशब्दवाच्यार्थनिरपेक्ष: समभिरोहति - तत्तद्वाच्यार्थविषयत्वेन प्रमाणीकरोति तत: - तस्मादर्थसमभिरोहणात् समभिरुढो नयः। यो घटशब्दवाच्योऽर्थस्तं कुटकुम्भादिपर्यायशब्दवाच्यं नेच्छत्यसावित्यर्थः। (अनेकांतव्यवस्था) 78. असङ्क्रमगवेषणपरोऽध्यवसाय विशेष: समभिरुढः । असङ्क्रमेति। तत्त्वं च यद्यपि न संज्ञाभेदेनार्थभेदाभ्युपगन्तृत्वं घटपटादिसंज्ञाभेदेन नैगमादिभिरपि अर्थभेदाभ्युपगमात्, तथापि संज्ञाभेदनियतार्थभेदाभ्युपगन्तृत्वं तत्। एवम्भूतान्यत्वविशेषणाच्च न तत्रातिव्याप्तिः। (नयरहस्य)