________________
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ઉત્પાદક બની જાય છે. ભૂતકાળની અવસ્થાને પ્રધાન રૂપે ધ્યાનમાં લાવવામાં આવે તો મનુષ્ય સુખ ચાહતો હોવાં છતાં પણ આપત્તિમાં પડી જશે. વિશેષ પ્રકારના કાળમાં ૠજુસૂત્ર નય પ્રમાણે વર્તમાનનો વિચાર મુખ્ય રૂપે કરવો પડે છે. વ્યવહાર અને ૠજુસૂત્રનો વિરોધ ત્યારે નથી રહેતો, જ્યારે ભિન્ન અપેક્ષાઓનો વિચાર કરવામાં આવે છે. ત્રણે કાળનાં અર્થોની સાથે સંબંધ હોવાથી વ્યવહારનો વિષય ઘણો છે અને કેવળ વર્તમાનની સાથે પ્રધાનરૂપે સંબંધ હોવાના કારણે ૠજુસૂત્રનો વિષય અલ્પ છે. શબ્દનય કરતાં ઋજુસૂત્ર નયના વિષય વધારે છે, તે સ્પષ્ટ કરે છે.
-
૨૦૨
ૠજુસૂત્રનયનો વિષય શબ્દનયથી અધિક છે :
कालाभिदेन भिन्नार्थोपदेशकाच्छब्दात्तद्विपरीतवेदक ऋजूसूत्रो बहुविषय: । (89) (જૈનતભાષા)
અર્થ : કાલ આદિના ભેદથી પદાર્થને ભિન્ન માનવાવાળા શબ્દ નયની અપેક્ષાએ ૠજુસૂત્ર નય વસ્તુના તે સ્વરૂપને પ્રકાશિત કરે છે, જે શબ્દ નયને પ્રતિકૂળ છે, તેથી વધારે વિષય વાળો છે.
કહેવાનો ફલિતાર્થ એ છે કે, ઋજુસૂત્ર વર્તમાનકાળના પદાર્થનું પ્રધાન રૂપે નિરૂપણ કરે છે. પરંતુ ભૂત અને ભાવી કાળની સાથેના સંબંધની ઉપેક્ષા કરે છે. તે કાળના ભેદથી અર્થને ભિન્ન નથી માનતો, તેનાથી વિપરિત શબ્દનય, કાલ અને કારક આદિના ભેદથી અર્થમાં ભેદ માને છે. એક જ વૃક્ષ અતીતકાળ સાથે જ્યારે સંબંધ રાખે છે, ત્યારે તે ભિન્ન છે અને જ્યારે તે વર્તમાનમાં છે, ત્યારે તે વૃક્ષ તે જ નથી 89. ऋजुसूत्राच्छब्दो बहुविषय इत्याशङ्कामपसारयन्ति - कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दादृजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थ: ।।७ - ५० ।। शब्दनयो हि कालदिभेदेन पदार्थभेदमङ्गीकरोतीत्यल्पविषय:, ऋजुसूत्रस्तु कालादिभेदेप्यभिन्नमर्थं प्रदर्शयतीत्यनल्पार्थः ।। ५० ।। (प्र.न. तत्त्वा.)