________________
નયવાદ
૨ ૧ ૩
અહીંયાં નયાભાસનું સ્વરૂપ અને કયા નયાભાસથી કયા દર્શનનો પ્રાદુર્ભાવ થયો છે તે જનતર્કભાષા ગ્રંથના આધારે જોઈશું.
अथ नयाभासा:(93) । तत्र द्रव्यमात्रगाही पर्यायप्रतिक्षेपी द्रव्यार्थिकाभासः। पर्यायमात्रग्राही द्रव्यप्रतिक्षेपी पर्यायार्थिकाभासः। (जैनतर्कभाषा)
અર્થ ઃ હવે નયાભાસોનો પ્રારંભ થાય છે. તેમાં જે કેવળ દ્રવ્યનું ગ્રહણ કરે છે અને પર્યાયનો નિષેધ કરે છે, તે “દ્રવ્યાર્થિકાભાસ” છે. જે કેવળ પર્યાયને ગ્રહણ કરે છે અને દ્રવ્યનો નિષેધ કરે છે, તે પર્યાયાર્થિકાભાસ છે.
દ્રવ્ય પર્યાયોને વ્યાપ્ત કરે છે અને પર્યાય દ્રવ્યોને વ્યાપ્ત કરે છે. જે વચન કેવળ સત્તાનું પ્રતિપાદન કરે છે અને દ્રવ્ય, ગુણ આદિનો નિષેધ કરે છે, તે વચન દ્રવ્યાર્થિકાભાસ છે. વિશેષો વગર સામાન્યની સત્તા નથી હોતી. વિશેષમાં સામાન્ય પ્રતીત થાય છે. આ જ રીતે પર્યાય વગર સામાન્ય રહી શકતું નથી. અનેક પ્રકારના જેટલા પુષ્પ હોય છે, તેમાં પુષ્પ સામાન્ય છે. જ્યાં પુષ્પ સામાન્ય પ્રતીત થશે, ત્યાં વિશેષ પુષ્પ પણ આવશ્યક રૂપે પ્રતીત થશે. વિશેષો વગર સામાન્ય અને સામાન્ય વગર વિશેષ આકાશ પુષ્પ સમાન અસત્ છે. પર્યાયોમાં અનુગત સામાન્ય દ્રવ્ય છે અને અનુગમથી રહિત પર્યાય વિશેષ છે.
દ્રવ્યાર્થિકાભાસના ત્રણ ભેદ છે – નગાભાસ, સંગ્રહાભાસ અને વ્યવહારાભાસ. તેમાંથી હવે નૈગમાભાસનું નિરૂપણ કરે છે,
93. નવસામાન્યનક્ષમુવી નામાસય નક્ષvi હથિતુમg - स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः ।।२।। योऽभिप्रायविशेष: स्वाभिप्रेतमंशमङ्गीकृत्य, इतरांशानपलपति स नयाभासः ।।७-२।। (प्र.न.तत्त्वा.)