________________
૨ ૩૦
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અર્થ : પર્યાય શબ્દોમાં અર્થના ભેદને જ સ્વીકાર કરવાવાળો સમભિરૂઢાભાસ હોય છે. જેમ કે, ઈન્દ્ર, શક, પુરંદર ઇત્યાદિ શબ્દોના અર્થ ભિન્ન-ભિન્ન જ છે. ભિન્ન શબ્દ હોવાથી કરી-કુરંગની જેમ.
કરી શબ્દનો અર્થ હાથી અને કુરંગ શબ્દનો અર્થ હરણ છે. આ જ રીતે અનેક શબ્દ છે, જેના અર્થ ભિન્ન છે, શબ્દના ભેદથી અર્થના ભેદને જોઈને જ્યારે નિયમ બનાવી લેવામાં આવે છે કે, “જ્યાં શબ્દોનો ભેદ છે, ત્યાં અર્થોનો ભેદ છે.” ત્યારે વસ્તુનું સ્વરૂપ અયુક્ત થઈ જાય છે. આ પ્રકારના અનેક શબ્દ છે, જે એક અર્થને વાચક હોય છે. એક અર્થમાં અનેક ધર્મ રહે છે, તેમાંથી કોઈ એક ધર્મનું પ્રકાશન એક શબ્દ કરે છે, તો બીજો શબ્દ તે જ એક અર્થના અન્ય ધર્મનું પ્રતિપાદન કરે છે. એક ધર્મનું પ્રતિપાદન કરવાવાળા અનેક શબ્દ હોઈ શકે છે. વસ્તુના આ સ્વરૂપને જ્યારે એકાંતવાદ દ્વારા નિષેધ કરવામાં આવે છે, ત્યારે સમભિરૂઢનયાભાસ થાય છે. પર્યાય શબ્દ અર્થના ભિન્ન ધર્મોને કહે છે, ભિન્ન ધર્મિઓને નહીં. એવંભૂતાભાસ :
क्रियानाविष्टवस्तु शब्दवाच्यतया प्रतिक्षिपन्नेवंभूताभास:(100), यथा 100. एवंभूताभासमाचक्षते-क्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपंस्तु तदाभासः ।।४२।। यथा-विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात्, पटवदित्यादिः ।।४३।। यः शब्दानां क्रियाऽऽविष्टमेवा) वाच्यत्वेनाभ्युपगच्छति क्रियानाविष्टं तु सर्वथा निराकरोति स एवम्भूतनयाऽऽभासः ।।४२।। अयमस्याशयः- चेष्टार्थकाद् घटधातोनिष्पन्नत्वाद् घटशब्दस्य चेष्टाविरहितो घटरूपोऽर्थो वाच्यो न भवितुमर्हति, घटशब्दप्रवृत्तौ निमित्तभूता या चेष्टाऽऽख्या क्रिया तच्छून्यत्वात्, पटवत्। यथापटो घटीयचेष्टाशून्यत्वाद् घटशब्दवाच्यो न भवति, तथैव चेष्टाशून्यो घटोऽपि घटपदवाच्यो न મવતિ જરૂTI (.ન.તા .)