________________
નયવાદ
૨૨૩
સુખ આદિ શરીરના ગુણ સ્વાભાવિક હોત, તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી અવશ્ય રહેત, પણ પ્રાણોના નીકળી જવાથી રૂ૫-ગંધ આદિ ગુણ શરીરમાં દેખાઈ આવે છે અને જ્ઞાન-સુખ આદિનો અનુભવ નથી થતો. તેજના નીકળી જવાથી પાણી શીતળ થઈ જાય છે. શરીર પણ કોઈ એક દ્રવ્યના નીકળી જવાથી ચેતના અને સુખ આદિથી શૂન્ય થઈ જાય છે. શરીરની અંદર પ્રવેશ કરવાવાળું અને બહાર જવાવાળું દ્રવ્ય આત્મા છે. જ્ઞાન સુખ આદિ તેના ગુણ છે. પરીક્ષકોના પ્રમાણો પર આશ્રિત હોવા છતાં પણ આત્મા આદિના વ્યવહારોને ચાર્વાક અયુક્ત માને છે, તેથી તેનો મત વ્યવહારાભાસ છે.
જૂસૂત્રાભાસ : वर्तमानपर्यायाभ्युपगन्ता सर्वथा द्रव्यापलापी ऋजुसूत्राभास:(97) यथा तथागतं मतम्।
અર્થ : વર્તમાનકાળના પર્યાયનો સ્વીકાર કરવાવાળો અને દ્રવ્યનો સર્વથા નિષેધ કરવાવાળો અભિપ્રાય ઋજુસૂત્રાભાસ છે. જેમ કે બૌદ્ધ મત.
અર્થોનો સંબંધ ત્રણેય કાળની સાથે અનુભવથી સિદ્ધ છે. જે અર્થનું જ્ઞાન અત્યારે થાય છે તે વર્તમાનકાળની પાછળ પણ પ્રતીત થાય છે. જ્ઞાતા સમજે છે, પહેલાં જોયું હતું તેથી આ અર્થ ભૂતકાળમાં હતો. હવે જોઈ રહ્યો છું, તેથી વર્તમાનકાળમાં પણ છે. એના પછી પણ જોવામાં આવે છે. તેથી ભાવીકાળ સાથે પણ તેનો સંબંધ છે. તેથી કાળ ભિન્ન હોવા છતાં પણ અર્થ એક છે. જ્યારે અર્થ નષ્ટ થઈ જાય છે
97. ગુરૂત્રામાં વત્તે – સર્વથા દ્રવ્યાપત્તાપી તામણિ : II૭-રૂપાયથા તથા તમતમ્ ।।७-३१।। य: पर्यायानेव स्वीकृत्य सर्वथा द्रव्यमपलपति सोऽभिप्रायविशेष ऋजुसूत्राऽऽभास इत्यर्थः ।।३०।। तथागतमतम्-बौद्धमतम्। बौद्धो हि प्रतिक्षणविनश्चरान् पर्यायानेव पारमार्थिकत्वेनाभ्युपगच्छति, प्रत्यभिज्ञादिप्रमाणसिद्धं त्रिकालस्थायि तदाधारभूतं द्रव्यं तु तिरस्कुरुते ત્યેતન્મતમૃગુસૂત્ર મારત્વેનોપચસ્તમ્ !ારૂ II (પ્ર.ન.તા.)