________________
૨ ૨૪
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
ત્યારે જોવામાં નથી આવતો. જે અર્થ દેખાતો નથી તેનો પણ કોઈ અંશ રહે છે. કોઈપણ ભાવાત્મક અર્થ કોઈપણ દશામાં સર્વથા શૂન્ય નથી થઈ જતો. પહેલાં માટીનો પિંડ હોય છે, પછી ઇંટો ઉત્પન્ન થાય છે. ઇંટોથી ભવન ઉત્પન્ન થાય છે. ઇંટનું જ્યારે પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇંટ માટીની સાથે પ્રતીત થાય છે. જ્યારે ભવન દેખાય છે ત્યારે ભવનની સાથે માટી પણ દેખાય છે, જ્યાં કેવળ માટી હોય છે, ત્યાં ન ઇંટ હોય છે અને ન ભવન. ભવનનો જો નાશ થઈ જાય તો પણ માટીનું પ્રત્યક્ષ ભસ્મના રૂપમાં થાય છે. ઇંટ, ભવન અને ભસ્મનું પ્રત્યક્ષ હંમેશા નહીં હોય. પરંતુ માટીનું પ્રત્યક્ષ આ બધી અવસ્થામાં હોય છે. જેનું પ્રત્યક્ષ બધી અવસ્થાઓમાં છે તે અનુગત છે અને અનુગત રૂપે ન રહેવાવાળા પર્યાયોથી ભિન્ન પણ છે. પર્યાય આ અનુગત અર્થ વગર પ્રતીત નથી થતા, તેથી પર્યાય અનુગત અર્થથી અભિન્ન પણ છે. આ રીતે દ્રવ્ય અને પર્યાય બંનેનું જ્ઞાન થાય છે. પર્યાયો ઉત્પન્ન અને નષ્ટ થવા છતાં પણ અનુગત દ્રવ્ય રૂપ અર્થની સ્થિતિ રહે છે. અનુગત રૂપે રહેવાને કારણે દ્રવ્ય અક્ષણિક છે અને પર્યાયો સાથે અભેદ હોવાને કારણે ક્ષણિક છે. આ રીતે દ્રવ્ય ક્ષણિક પણ છે અને અક્ષણિક પણ.
આ રીતે પાણીમાં જ્યારે વર્ષાની બુંદોને લીધે બુદ્-બુ ઉત્પન્ન થાય છે ત્યારે પહેલો બુદ્બુ નષ્ટ થાય છે અને બીજો બુદ્ધુ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી વર્ષા વેગથી થતી રહે છે ત્યાં સુધી બુદ્બુદું ઉત્પન્ન અને નષ્ટ થતાં રહે છે. જ્યારે વર્ષા બંધ થઈ જાય છે, ત્યારે બુદ્ બુની ઉત્પત્તિ નથી થતી. કેવળ પાણી રહી જાય છે. પહેલાં પાણી હતું.
જ્યારે બુદ્ બુદ્ધ થાય છે, ત્યારે પણ પાણી રહે છે અને જ્યારે બુદ્બુદ્ધ નષ્ટ થઈ જાય છે ત્યારે પણ પાણી રહે છે. બુદ્-બુ પર્યાય છે અને પાણી દ્રવ્ય છે. આ રીતે પર્યાય દ્રવ્યના આકારે ક્યારેક અલ્પ