________________
૨૨૦
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
અને અન્ય અપેક્ષાએ ભેદ છે. જે તંતુ પહેલાં પટ વગર દેખાઈ આવે છે, તે જ તંતુવાયના વ્યાપારથી પટરૂપે થઈ જાય છે. પટ સાથે પણ તંતુઓનું રૂપ દેખાતું રહે છે. તંતુઓ વિના પટનું સ્વરૂપ ક્યારેય પ્રતીત નથી થતુ. કારણભૂત તંતુ, પટ વગર પણ પ્રતીત થાય છે. તેથી કારણનો કાર્ય સાથે અનેકાંતરૂપે ભેદ અને અભેદ છે. સમસ્ત જડ અર્થોનું કારણ પુદ્ગલ છે. પુલો સાથે પર્યાયોનો ભેદભેદ છે. આથી જડ કાર્યોની સાથે સત્કાર્યવાદ પ્રમાણે પ્રકૃત્તિનો સર્વથા અભેદ સંગ્રહાભાસ છે. વ્યવહારાભાસ :
अपारमार्थिकद्रव्यपर्यायविभागाभिप्रायो व्यवहाराभास:(96) यथा चार्वाकदर्शनम्, चार्वाको हि प्रमाणप्रतिपन्नं जीवद्रव्यपर्यायादिप्रविभागं कल्पनारोपितत्वेनापहनुतेऽविचारितरमणीयं भूतचतुष्टयप्रविभागमात्रं तु स्थूललोकव्यवहारानुयायितया समर्थयत इति।
અર્થ : દ્રવ્ય અને પર્યાયના અસત્ય વિભાગને પ્રગટ કરવાવાળો અભિપ્રાય વ્યવહારાભાસ છે. જે રીતે ચાર્વાક દર્શન. ચાર્વાક પ્રમાણ દ્વારા સિદ્ધ જીવ દ્રવ્ય અને પર્યાય આદિના વિભાગને કાલ્પનિક કહીને માનતો નથી અને લોકોને સ્થૂળ વ્યવહારનો અનુગામી હોવાના કારણે ચાર ભૂતોના વિભાગ માત્રને સ્વીકારે છે. આ વિભાગ વિચાર વિના સુંદર પ્રતીત થાય છે.
લોકોનો વ્યવહાર પ્રાયઃ બાહ્ય ઈન્દ્રિયો દ્વારા ચાલે છે. જે અર્થનો 96. एतदाभासं वर्णयन्ति- यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति स व्यवहाराभासः।।७-२५।। यथा चार्वाकदर्शनम् ।।७-२६।। योऽभिप्रायविशेषो द्रव्यपर्यायविभागमपारमार्थिकं-काल्पनिकं मन्यते स व्यवहाराऽऽभासः ।।२५।। चार्वाको हि वस्तुनो द्रव्य-पर्यायात्मकत्वं नाङ्गीकरोति, किन्तु आपाततः प्रतीयमानं भूतचतुष्टयात्मकं घटपटादिरूपं पदार्थजातं पारमार्थिकं मन्यते, तदतिरिक्तं द्रव्यपर्यायविभागं काल्पनिकमिति। तस्मात् વાવને વ્યવહાડમાંસમિતિ ભાવ: ર૬TI (અ.ર.ત.)