________________
નયવાદ
૨ ૧૫
यथाऽखिलान्यद्वैतवादिदर्शनानि सांख्यदर्शनं च। (जैनतर्कभाषा)
અર્થ : કેવલ સત્તાનો સ્વીકાર કરવાવાળો અને સમસ્ત વિશેષોનો નિષેધ કરવાવાળો સંગ્રહાભાસ છે. જેમ કે, સમસ્ત અદ્વૈતવાદી અને સાંખ્ય દર્શન.
કેવલ સત્ત્વ છે, પરંતુ વિશેષોની સત્તા વાસ્તવમાં નથી. આ પ્રકારનો મત જે માને છે, તે અદ્વૈતવાદી છે. અદ્વૈતવાદી અનેક પ્રકારના છે. આ બધા એકાંત રૂપે સામાન્ય ધર્મનું પ્રતિપાદન કરે છે, તેથી મિથ્યા છે. વૃક્ષ, સૂર્ય, ચંદ્ર આદિમાં, રૂપ, રસ આદિમાં અને અન્ય અર્થોમાં સત્તા પ્રતીત થાય છે, પરંતુ તે વિશેષ વગર પ્રતીત નથી થતી. બંનેની પ્રતીતિ સમાન છે. એટલે એકાંતે સત્ત્વનો સ્વીકાર કરીને વિશેષોનો નિષેધ કરવો અયુક્ત છે. સત્ય અર્થ પણ એકાંતનો આશ્રય લઈને જ્યારે પ્રમાણોથી સિદ્ધ અન્ય અર્થોનો નિષેધ કરે છે, ત્યારે તે મિથ્યા થઈ જાય છે. અદ્વૈતવાદી પણ કોઈ એક વસ્તુને લઈને તેનાથી ભિન્ન અર્થોને મિથ્યા કહેવા માગે છે.
સત્તાના અદ્વૈતની જેમ કેટલાક લોકો જ્ઞાનના અદ્વૈતને અને કેટલાક લોકો બ્રહ્મના અદ્વૈતને, તો કેટલાક લોકો શબ્દના અદ્વૈતને માને છે, તેમાં જ્ઞાનના અને માનવાવાળા વિજ્ઞાનવાદી બોદ્ધ છે. આ લોકોના મત મુજબ જ્યારે પણ અર્થોનું જ્ઞાન થાય છે, ત્યારે જ્ઞાન અવશ્ય વિદ્યમાન હોય છે. જ્ઞાન વગર કોઈપણ અર્થનું પ્રકાશન નથી થતું. જ્ઞાન स्वीकुर्वाणः सकलविशेषान् निराचक्षाणस्तदाभासः ।।७-१७।। यथा-सत्तैव तत्त्वं, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ।।७-१८ ।। द्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान् निनुवानस्तदाभासः ।।७-२१।। यथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः ।।७-२२।। द्रव्यत्वादिसामान्यमङ्गीकृत्य तद्विशेषान् धर्माधर्मादीन् प्रतिक्षिपन्नभिप्रायविशेषस्तदाभास:- अपरसंग्रहाऽऽभास इत्यर्थः ।।२१।। तत:- द्रव्यत्वसकाशात्, अर्थान्तरभूतानां-धर्माधर्माऽऽकाशादीनाम् ।।२२।। (प्र.न.तत्त्वा.)