________________
નયવાદ
૨૦૭
અર્થ : ક્રિયાના ભેદથી અર્થમાં ભેદ માનવાવાળા એવંભૂતની અપેક્ષાએ સમભિરૂઢનો વિષય અધિક છે. તે એવંભૂતના વિરોધી અર્થનો પ્રતિપાદક છે.
કહેવાનો આશય એ છે કે, જ્યારે ગાય ચાલી રહી હોય, ત્યારે જ એવંભૂત નય અનુસારે ગાય કહી શકાય છે. “જે જાય છે તે ગાય છે.' આ વ્યુત્પત્તિ અનુસાર એવંભૂત નય સમજે છે કે, ગાય કહેવાને માટે ગતિનું હોવું આવશ્યક છે. આ પ્રકારે ચાલતી ગાય જ ગો શબ્દની વાચ્ય થઈ શકે છે. બેઠેલી અથવા સૂઈ ગયેલી નહીં. સમભિરૂઢ નય મુજબ જે રીતે ચાલી રહેલી ગાય, ગો કહેવાય છે. તે જ રીતે સૂતેલી કે બેઠેલી ગાય પણ ગૌ શબ્દનો વાચ્ય છે. આ રીતે સમભિરૂઢ નયનો વિષય એવંભૂતની અપેક્ષાએ અધિક છે. આ જ રીતે એવંભૂત નય જ્યારે રાજા છત્ર ચામર આદિની શોભાથી યુક્ત હોય છે, ત્યારે જ તેને રાજા પદથી કહેવો યોગ્ય માને છે. છત્ર આદિ દ્વારા જ્યારે શોભા ન થઈ રહી હોય ત્યારે તે રાજા નથી કહી શકાતો, પરંતુ સમભિરૂઢ નય છત્ર આદિની સાથે અને છત્ર આદિ વગર પણ “રાજા” પદનો વ્યવહાર કરે છે. અહીંયાં પણ સમભિરૂઢ નયનો અધિક વિષય સ્પષ્ટ છે. નયવાક્ય પર આશ્રિત સપ્તભંગી :
જેમ પ્રમાણવાક્યવિધિ-પ્રતિષેધ દ્વારા પ્રવર્તમાન સપ્તભંગીનું અનુસરણ કરે છે, તેમ નયવાક્ય પણ સપ્તભંગીનું અનુસરણ કરે છે, તે જણાવે છે.
नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुगच्छति, विकलादेशत्वात् परमेतद्वाक्यस्य प्रमाणवाक्याद्विशेष इति द्रष्टव्यम्। (92) (નૈનનમાષા) 92. अथ यथा नयवाक्यं प्रवर्त्तते तथा प्रकाशयन्ति-नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधि-प्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ।।७-५३।। यथा प्रमाणवाक्यं विधि-प्रतिषेधाभ्यां प्रवर्तमानं सप्तभङ्गीमनुगच्छति, तथैव नयवाक्यमपि स्वविषये-स्वप्रतिपाद्ये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यां परस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधि-निषेधाभ्यां कृत्वा सप्तभङ्गीत्वमनुगच्छति ।।५३ ।। (प्र.न.तत्त्वा.)