________________
૨૦૪
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
એટલું જ નહિ, ઋજુસૂત્ર નય વર્તમાનકાળના જે ભાવ ઘટના સ્વીકાર કરે છે, તેને પણ શબ્દ નય સાત ભાંગામાંથી કોઈ એક ભાંગા દ્વારા વિશિષ્ટરૂપમાં સ્વીકારે છે. ઉચી ગ્રીવા આદિ સ્વપર્યાયોની અપેક્ષાએ
જ્યારે સત્ રૂપમાં ઘટની વિવક્ષા થાય છે, ત્યારે તે ઘટ કહેવાય છે. પટ ત્વચાનું રક્ષણ કરે છે. આ પટ પર્યાય દ્વારા અસત્ રૂપથી વિવક્ષાને લીધે ઘટ અઘટ છે. સ્વ અને પર પર્યાયોની સાથે વિવક્ષા કરવામાં આવે તો કોઈ શબ્દ ઘટને નહીં કહી શકે, તેથી અવક્તવ્ય થઈ જાય છે. એની અનંતર આ ત્રણેય ભાગાંઓના પરસ્પર સંબંધથી અન્ય ચાર ભાંગાઓ પણ બની જાય છે. જલ લાવવામાં સામર્થ્ય રૂપ ઘટ શબ્દના મુખ્ય અર્થને લઈને શબ્દનય ભાવ ઘટમાં સાત ભાંગાઓનો સ્વીકાર કરે છે. પરંતુ ઋજુસૂત્રનય જલ લાવવાની આદિ ક્રિયાના કારણે ભાવ ઘટને સાત ભાંગાઓ સાથે નથી માનતો. ઋજુસૂત્રનો વર્તમાન કાળમાં ઘટનું જે સ્વરૂપ છે, તેની જ સાથે મુખ્ય રૂપે સંબંધ છે. શબ્દના વાચ્ય અર્થ પર આશ્રિત સાત ભાંગાની સાથે જે સ્વરૂપ છે, તેના વિષયમાં ઋજુસૂત્રનું ધ્યાન નથી. આ રીતિથી શબ્દનયનો વિષય ખૂબ સંકુચિત થઈ જાય છે. હૃજુસૂત્રના મત પ્રમાણે, જલ લાવવાનું સામર્થ્ય ન હોવા છતાં પણ જો ઘટના આકારની પ્રતીતિ થાય છે તો ઘટ શબ્દનો પ્રયોગ થઈ શકે છે. આ દિશામાં 28 જુસૂત્ર અનુસારે જલ લાવવું આદિ જે ઘટ શબ્દની વાચ્ય ક્રિયા છે, તેનો આશ્રય લઈને સાત ભાંગા નથી થઈ શકતાં, તેથી ઋજુસૂત્રનો વિષય શબ્દ નય કરતાં ઘણો અધિક છે, વધુ સ્પષ્ટતા કરતાં કહે છે કે,
यद्यपीदृशसम्पूर्णसप्तभङ्गपरिकरितं वस्तु स्याद्वादिन एव सङ्गिरन्ते, तथापि ऋतुसूत्रकृतैतदभ्युपगमापेक्षयाऽन्यतरभङ्गेन विशेषितप्रतिपत्तिरत्रादुष्टेत्यदोष इति वदन्ति। (जैनतर्कभाषा)