________________
નયવાદ
૧૯૭
મિથ્યાજ્ઞાનના નાશમાં કારણ નથી, પરંતુ સકલ કર્મોના નાશમાં અથવા સમસ્ત કર્મોની નાશની સાથે સમનિયત ભાવથી રહેવાવાળા ક્ષાયિક સુખમાં કારણ છે, તેથી કર્મ અને જ્ઞાન બંને પ્રધાન રૂપે કારણ છે. પ્રતિબંધક પાપોની નિવૃત્તિમાં કર્મોને કારણ માનીને જો તેને ગૌણ કહેવામાં આવે, તો તત્ત્વજ્ઞાનને પણ ગૌણ કહેવું પડશે. જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે, તેઓ પણ જ્યાં સુધી ભવોપગ્રાહી ચાર કર્મોને નષ્ટ નથી કરી લેતા ત્યાં સુધી તે ક્ષણે મુક્તિને પ્રાપ્ત નથી કરતા. મુક્તિના પ્રતિબંધક કર્મોને તત્ત્વજ્ઞાન પણ નષ્ટ કરે છે. આગમ, કેવલીના જ્ઞાન સહિત વીર્યને કર્મના નાશમાં કારણ કહે છે તેથી તત્ત્વજ્ઞાન પણ કર્મ નાશમાં કારણ છે. આ દશામાં કર્મોની નિવૃત્તિ કરવાવાળું તત્ત્વજ્ઞાન ગણ કારણ થઈ જશે અને કર્મ મોક્ષનું પ્રધાન કારણ થઈ જશે. આગમ કહે છે કે, વેદનીય કર્મને અત્યંત અધિક જાણીને અને આયુકર્મને થોડું જાણીને કર્મનું પ્રતિલેખન કરવા માટે કેવલી સમુઘાત કરે છે. જ્ઞાન અને સંયમથી યુક્ત તપ મોક્ષનું કારણ છે. આ તપ જ્યારે વારંવાર કરવામાં આવે છે, ત્યારે ક્રિયાથી શૂન્ય નિવૃત્તિ રહિત ધ્યાન આવે છે. આ ધ્યાન મોક્ષનું સાક્ષાત્ કારણ છે. આ ધ્યાનથી ભવોપગ્રાહી કર્મ નષ્ટ થાય છે. આ ધ્યાનમાં કેવલજ્ઞાન જ નથી, કર્મ પણ છે. ચારિત્ર સાથે હોવાથી જે રીતે સમ્યમ્ જ્ઞાન સમ્યમ્ બને છે. તે જ રીતે જ્ઞાન સાથે હોવાથી ચારિત્ર સમ્ય બને છે. આ વિષયમાં પંગુ અને અંધનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. પંગુ જ્ઞાનવાળો છે, અને જ્યાં જવું છે, ત્યાં પહોંચાડવા વાળા માર્ગને જુએ પણ છે, પણ ચાલી નથી શકતો. તેથી તે એકલો પહોંચી નથી શકતો. અંધ પુરૂષ ચાલી શકે છે, પણ માર્ગને ન જોવાને કારણે વિવક્ષિત સ્થાને નથી પહોંચી શકતો. બંને મળીને પરસ્પરની સહાયતાથી