________________
નયવાદ
૧૮૫
એવંભૂત નય વ્યુત્પત્તિના અને પ્રવૃત્તિના નિમિત્તને ભિન્ન નથી માનતો. તેના મત પ્રમાણે કેવલ ક્રિયા શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત છે,
જ્યારે સ્વર્ગના અધિપતિ શાસન વગેરે કરે છે, ત્યારે ઐશ્વર્યથી વિશિષ્ટ હોવાના કારણે એવંભૂત નય અનુસાર ઈન્દ્ર શબ્દનો વાચ્ય છે, જ્યારે અસુરોના નગરનું વિદારણ કરે છે, ત્યારે તે ઈન્દ્ર શબ્દથી કહેવામાં નથી આવતો, ત્યારે તેને પુરંદર શબ્દથી કહેવો જોઈએ.
એવંભૂતનયની માન્યતાને સ્પષ્ટ કરતાં જૈનતર્ક ભાષામાં જણાવે છે કે,
न हि कश्चिदक्रियाशब्दोऽस्यास्ति। गौरश्व इत्यादि जातिशब्दाभिमतानामपि क्रिया शब्दत्वात् गच्छतीति गौः, आशुगामित्वादश्व इति। शुक्लो, नील इति गुणशब्दाभिमता अपि क्रिया शब्दा एव-शुचीभवनाच्छुक्लो, नीलनात् नील इति। देवदत्तो यज्ञदत्त इति यदृच्छाशब्दाभिमता अपि क्रिया शब्दा एव, देव एनं देयात् यज्ञ एनं देयादिति। संयोगिद्रव्य शब्दा: समवाय (यि) द्रव्य शब्दाश्चाभिमता: क्रिया शब्दा एव, दण्डोऽस्यास्तीति दण्डी, विषाणमस्यास्तीति विषाणीत्यस्तिक्रियाप्रधानत्वात्। पञ्चतयी तु निश्चयादित्ययं नयः स्वीकुरुते।
અર્થ : એવંભૂતનય પ્રમાણે કોઈપણ શબ્દ અક્રિયા શબ્દ નથી. ગો, અશ્વ ઈત્યાદિ શબ્દ જાતિવાચક માનવામાં આવે છે, પણ તે પણ ક્રિયા શબ્દ છે. જે ગમન કરે છે, તે ગાય છે અને જે જલ્દી જાય છે, તે અશ્વ છે. શુક્લ નીલ આદિ શબ્દ ગુણ શબ્દ કહેવાય છે. પરંતુ તે પણ ક્રિયા શબ્દ છે. શુચિ હોવાથી શુક્લ અને નીલન કરવાથી નીલ કહેવાય છે. દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે શબ્દ યદચ્છા શબ્દ કહેવાય છે. પરંતુ તે પણ ક્રિયા શબ્દ છે. દેવ તેને આપે આ પ્રકારની ઈચ્છા જેના માટે કરવામાં આવે તે દેવદત્ત છે. યજ્ઞ તેને આપે આ પ્રકારની ઈચ્છા જેના માટે કરવામાં આવે તે યજ્ઞદર છે. સંયોગિદ્રવ્ય શબ્દ અને સમવાધિદ્રવ્ય શબ્દ જે માનવામાં આવે છે, તે પણ ક્રિયા શબ્દ છે. દંડ