________________
૧૫ ૨
જૈનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
વ્યવહારનયમાં સમાવેશ કર્યો છે. સંગ્રહનય માત્ર સામાન્યનો અને વ્યવહારનય માત્ર વિશેષનો સ્વીકાર કરે છે. સંગ્રહ અને વ્યવહારનય પરસ્પર સાપેક્ષ છે. જ્યારે એક વિધાનમાં સંગ્રહની દૃષ્ટિએ સંકોચ કરતા જઈએ ત્યારે તે સંગ્રહનયની વિચારધારા છે. “આ જંગલમાં પ્રાણીઓ વસે છે.” આ વિધાન વિચારણાના સ્તરમાં આવે ત્યારે “પ્રાણી માત્રની દૃષ્ટિએ સંગ્રહને પ્રધાન બનાવવામાં આવે ત્યારે તે સંગ્રહનયનો વિચાર બને છે અને ભિન્ન-ભિન્ન પ્રાણીઓની દૃષ્ટિથી વિચારીએ તો વિશેષની પ્રધાનતાના યોગથી વ્યવહારનયનો વિચાર બને છે.
શ્રી તત્ત્વાર્થભાષ્યમાં વ્યવહાર નયના અભિપ્રાયની સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે,
समुदायव्यक्त्याकृतिसत्तासंज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं व्यवहारं विस्तृतं विद्यात् ।।३।।
સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા, સંજ્ઞા આદિના નિશ્ચયની અપેક્ષા રાખવાવાળો, લોકોપચારથી નિયત અને વિસ્તૃત વ્યવહારનય જાણવો. તત્ત્વાર્થ-ભાષ્યની મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. વિરચિત54) ટીકામાં પૂર્વોક્ત શ્લોકના પ્રતિપદની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, સમુદાય અર્થાત્ સંઘાત, જેમ કે પ્રાસાદના વ્યવહાર વિષયક ઈંટ, લાકડુ વગેરેનો સમુદાય. વ્યક્તિ - અર્થાત્ અવયવના સંયોગ વિશેષથી જન્ય અવયવી, આકૃતિ - અર્થાત્ અવયવોનો આકાર, જેમ કે, ઘટાદિ કે મનુષ્યાદિની આકૃતિ. સત્તા 54. समुदायेत्यादि। समुदायः सङ्घातः प्रासादव्यवहारविषयकाष्ठेष्टकादीनामिव, व्यक्तिरवयवसंयोगविशेषजन्योऽवयवी, आकृति: संस्थानमवयवानां, सत्ता महासामान्यम, संज्ञादयो नामस्थापनाद्रव्यभावाः, एषां निश्चिताश्च ये निश्चया विशेषास्तानपेक्षतेऽभ्युपैति यः स तथा। एतस्य हि मते नानिश्चितसामान्यरूपाः समुदायादयो व्यवहारक्षमाः, निश्चितविशेषव्यतिरिक्तानां तेषामभावात्, नहि समुदायादयस्त्रैलोक्यादिरूपाः समुदाय्यादिव्यतिरिक्ता अनुभूयन्ते, विशेषस्यैव स्वप्रत्यक्षत्वात्, अभाव इव भावेऽपि सामान्यस्य कल्पितत्वेन तुच्छत्वात्, तादृशमपि चतवैज्ञानिकसम्बन्धेन सामान्यप्रत्यासत्तिघटकं स्वीक्रियते इति नव्याप्तिज्ञानादौ यावद्व्यक्ति-भानानुपपत्तिः।