________________
૧૬૮
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
કોઈ વિરોધ નથી આવતો, આ મુજબ સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતો કહે છે. વર્તમાન સમયવર્તી દ્રવ્યમાં દ્રવ્યાંશ અને પર્યાયાંશ બને છે. ત્યાં આ નય દ્રવ્યાંશને પ્રધાનતાએ ગ્રહણ કરવાવાળો છે. જુસૂત્રમય ભલે ક્ષણિક વર્તમાનકાળ અથવા કંઈક દીર્ધકાલરૂપ વર્તમાનકાળ માને, પરંતુ એવા બંને પ્રકારના વર્તમાનકાળમાં રહેલા દ્રવ્યશની પ્રધાનતા આ નય સ્વીકારે છે. એટલે આવશ્યક ઉપરના ચાર નિપામાં દ્રવ્ય નિક્ષેપાને પણ સ્વીકારે છે, એવું સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતો કહે છે. પ્રશ્ન. સિદ્ધાંતવાદી આચાર્ય ભગવંતોના મત પ્રમાણે તો ઉપરોક્ત અર્થ
મુજબ દ્રવ્યાંશગ્રાહી વર્તમાનકાળને માનવાવાળો ઋજુસૂત્રનય હોવાથી અનુયોગ દ્વાર સૂત્રનો પાઠ સંગત થયો. પણ તર્કવાદી આચાર્ય ભગવંતોના મત પ્રમાણે આ પાઠનો જે વિરોધ આવે છે,
તેનો પરિહાર કેમ કરશો? ઉત્તર.મહોપાધ્યાયજી શ્રીયશોવિજયજી મ. તે વિરોધનો પરિહાર
કરતાં જણાવે છે કે, "अनुपयोगद्रव्यांशमेव सूत्रपरिभाषितमादायोक्तसूत्रं तार्किकमतेनोपपादनीयम्, इत्यस्मदेकशीलितः पन्थाः"
જેને શાસ્ત્રોમાં “દ્રવ્યાંશ” શબ્દના અનેક અર્થ કહ્યા છે. અહીંયા ટબામાં તથા વિવેચનમાં દ્રવ્યાંશ શબ્દના જે ત્રણ અર્થ આગળ બતાવ્યા, ૧. વર્તમાનકાળના પર્યાયને ધારણ કરવાવાળો એવો દ્રવ્યાંશ, ૨. ઉર્ધ્વતા સામાન્યરૂપ એવો દ્રવ્યાંશ અને ૩. તિર્યક્ સામાન્યરૂપ એવો દ્રવ્યાંશ; આ ત્રણેયમાંથી કોઈપણ અર્થવાળો વ્યાંશ અહીંયાં તાર્કિકોના મત પ્રમાણે નથી હોતો, એટલે તાર્કિકોના મત પ્રમાણે અનુયોગદ્વાર સૂત્રનો પાઠ સંગત કરવાને માટે “વ્યાંશ” શબ્દનો ચોથો અર્થ કરીએ.