________________
નયવાદ
ઉપયોગ વિનાની જે ક્રિયા” તેને પણ દ્રવ્ય કહેવાય છે. આ અર્થવાળો દ્રવ્યાંશ શબ્દ અનુયોગદ્વારના સૂત્રપાઠમાં છે. આ પ્રકાર લઈને ઉપરોક્ત સૂત્ર તાર્કિકોના મત પ્રમાણે સંગત કરવું. ટૂંકમાં, તાર્કિકોના મત પ્રમાણે પ્રતિક્ષણનો પર્યાય કે કંઈક દીર્ધવર્તમાનકાળનો પર્યાય જ ઋજુસૂત્રનયના મત પ્રમાણે લેવાનો છે. પણ તે પર્યાયકાળમાં ઉપયોગદશામાં ન હોવાથી અનુપયોગો દ્રવ્યમ્' આ ન્યાય મુજબ તે પર્યાયને જ અનુપયોગ દશામાં દ્રવ્ય” રૂ૫ સમજવું. જેનાથી અહીં દ્રવ્યનો અર્થ પદાર્થ અથવા છ દ્રવ્યોમાંથી એક દ્રવ્ય એવો અર્થ ન કરતાં, પર્યાય જ લેવો અને તે જ પર્યાય ઉપયોગશૂન્ય હોવાથી દ્રવ્યાત્મક છે. આ પ્રકારે ધર્મ સંબંધિત જે જે આવશ્યક ક્રિયા કરે પરંતુ તે ક્રિયા ઉપયોગની શૂન્યતાએ છે, એવા પ્રકારનો આશય સૂત્રમાં કહ્યો છે. એવું સમજીને ઉપરનું સૂત્ર તાર્કિક આચાર્ય ભગવંતોના મત પ્રમાણે સંગત કરવું જોઈએ, આ રીતે અમારા દ્વારા વિચારમાં આવેલો એક માર્ગ છે. જુસૂત્રનયના પ્રકાર :
सूक्ष्मऋजुसूत्रो यथा - एकसमयावस्थायीपर्यायः। स्थूलऋजुसूत्रो यथा मनुष्यादिपर्यायाः तदायुःप्रमाणं तिष्ठति।(67)
જુસૂત્રનયના બે પ્રકાર છે. (૧) સૂક્ષ્મ જુસૂત્રનય અને (૨) સ્કૂલ 8 જુસૂત્રનય. સૂક્ષ્મજુસૂત્રનય એક સમય રહેવાવાળા પર્યાયનો સ્વીકાર કરે છે. અર્થાત્ પ્રત્યેક પદાર્થના પ્રતિસમય જે જે પર્યાય હોય છે, તે સમયે માત્ર જ રહેવાવાળો હોવાથી અને સમય એ અત્યંત સૂક્ષ્મ વર્તમાનકાળ હોવાથી તે જ પર્યાય સત્ છે. કોઈપણ પર્યાય એક સમયથી વધારે રહેતો નથી, બીજે સમયે જ તે પર્યાય અસત્ બને છે - આ રીતે સૂક્ષ્મઋજુસૂત્ર નય માને છે. 67. નયપ્રાસ્તવ