________________
નયવાદ
૧૭૧
इत्यादौ कारकभेदेन, तटस्तटी तटमित्यादौ लिङ्गभेदेन, दारा: कलत्रमित्यादौ संख्याभेदेन, यास्यसि त्वम्, यास्यति भवानित्यादौ पुरुषभेदेन, सन्तिष्ठते अवतिष्ठते इत्यादावुपसर्गभेदेन।
અર્થ : કાલ આદિના ભેદથી શબ્દના અર્થમાં ભેદનો સ્વીકાર કરવાવાળો શબ્દનાય છે. કાલ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગ આ કાલાદિ છે. “સુમેરુ હતો, છે અને રહેશે” અહીંયાં અતીતાદિ કાલના ભેદથી સુમેરૂના ભેદનું જ્ઞાન થાય છે. “કુંભકાર (કુંભાર) ઘટને બનાવે છે. કુંભકાર (કુંભાર) દ્વારા ઘટ બનાવવામાં આવે છે.” - અહીં કારકના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. તદ: તરી તટમ'' - આ સ્થળે લિંગના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. “રાર : ત્ર” આ સ્થળે સંખ્યાના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. “યાસિ ત્વમ્'' અને “વાસ્થતિ મવાન'' આ સ્થળે પુરુષના ભેદથી અર્થના ભેદનું જ્ઞાન થાય છે. “વતિષ્ઠાતે સતિષ્ઠ' અહીં ઉપસર્ગોના ભેદથી અર્થના જ્ઞાનમાં ભેદ થાય છે.
કહેવાનો આશય એ છે કે, જ્યારે કોઈ વસ્તુનો અતીતકાળ સાથે સંબંધ પ્રકાશિત થાય છે, ત્યારે અર્થનું જ્ઞાન જે રૂપે થાય છે, તેની અપેક્ષાએ વર્તમાનકાળમાં થવાવાળા જ્ઞાનનું સ્વરૂપ ભિન્ન હોય છે. જ્ઞાનના સ્વરૂપમાં ભેદ હોવાના કારણે અર્થનો પણ ભેદ આવશ્યક છે. જ્ઞાનના ભેદને કારણે પદાર્થોનો ભેદ નિશ્ચિત હોય છે. “ઘટ અને પટ, પૃથ્વી અને પાણી, સૂર્ય અને ચંદ્ર ભિન્ન છે.” આ તત્ત્વનો નિશ્ચય જ્ઞાનના ભેદ પર આશ્રિત છે. જો એ બધાં જ પદાર્થોનું જ્ઞાન એક સ્વરૂપમાં હોય, તો પદાર્થોના સ્વરૂપનો ભેદ નિશ્ચિત નહીં થઈ શકે. શબ્દ જ્યારે કાલના ભેદથી પદાર્થને પ્રગટ કરે છે, ત્યારે પણ જ્ઞાનનું સ્વરૂપ ભિન્ન હોય છે. એટલે કાળના ભેદથી પદાર્થમાં પણ ભેદ માનવો જોઈએ. એવો શબ્દનયનો અભિપ્રાય છે. તે જ રીતે જ્યારે “ઘડાને બનાવે છે' - આ પ્રકારે કહે છે, ત્યારે ઘટનો