________________
૧૭૦
જેનદર્શનના મહત્વના સિદ્ધાંતો
પરંતુ જે સ્થૂલ જુસૂત્રનય છે, તે મનુષ્યાદિ કંઈક દીર્ઘ-વર્તમાનકાલવર્તી પર્યાયને માને છે. આ નય પણ વર્તમાનકાળને જ માને છે. પરંતુ દીર્ઘવર્તમાનકાલવર્તી પર્યાયને વર્તમાનરૂપ હોવાથી માન્ય રાખે છે.
અહીંયાં પ્રશ્ન થઈ શકે છે કે, સ્થૂલ જુસૂત્રનય અને વ્યવહારનયના લક્ષણમાં મિશ્રણ થઈ જશે. કારણ કે, બંનેના વિષય સમાન જ છે. તો તેનો ઉત્તર એ છે કે, બંનેના વિષય સમાન નથી. કારણ કે, સ્થૂલસૂત્રનય દીર્ધ એવા પણ વર્તમાનકાળને જ માન્ય રાખે છે, પરંતુ ભૂત-ભાવિ પર્યાયને નહીં. જ્યારે વ્યવહારનય ત્રિકાલવ પર્યાયને માને છે. નિકટના ભૂતભાવિને પણ માન્ય રાખે છે. આ રીતે બંનેમાં ભેદ છે. હવે શબ્દનયનું સ્વરૂપ જોઈશું. (૫) શબ્દનય :
- શબ્દનય 68) નું સ્વરૂપ અને તેના ઉદાહરણ આપતાં જૈનતર્કભાષામાં જણાવ્યું છે કે –
कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः। काल-कारक-लिंगसंख्या-पुरुष-उपसर्गाः कालादयः। तत्र बभूव भवति भविष्यति सुमेरुरित्यत्रातीतादिकालभेदेन सुमेरोर्भेदप्रतिपत्तिः, करोति क्रियते कुम्भः
68. વાસ્તવિમેન ધ્વાર્થ પ્રતિપદ્યમાનઃ શર્વઃ II૭-૩૨ા યથા-મૂવ મવતિ ભવિષ્યતિ મુરિત્યાતિઃ II૭-રૂપા વાતાવિમેન-નિ-ર-નિફ-સંક્યા-પુરુષોપसर्गभेदेन, ध्वनेः शब्दस्य अर्थभेदं प्रतिपद्यमानोऽभिप्रायविशेषः शब्दनयः ।।३२ ।। यद्यपि सुमेरोर्द्रव्यरूपतयाऽभिन्नत्वात् पर्यायरूपतया च भिन्नत्वाद् भिन्नाभिन्नत्वं वर्तते, तथाऽपि शब्दनयो विद्यमानमपि कनकाचलस्य द्रव्यरूपतयाऽभेदमुपेक्ष्य केवलं भूत-वर्तमान-भविष्यल्लक्षण-कालत्रयभेदाद् भेदमेवावलम्बते। आदिपदेन 'करोति क्रियते कुम्भः' इति कारकभेदे। 'तटस्तटी तटम्' इति लिङ्गभेदे। 'दारा: कलत्रम्' इति संख्याभेदे। ‘एहि मन्ये रथेन यास्यति, नहि यास्यसि, यातस्ते पिता' इति पुरुषभेदे। 'सन्तिष्ठते, उपतिष्ठते' इत्युपसर्गभेदेऽप्यर्थस्य भिनत्वं स्वीकरोति ।।३३।। (પ્ર.ન.તા .)