________________
નયવાદ
૧ ૭૫
નામજિન કહેવાય છે.) “જિન” શબ્દ દ્રવ્યજિન, સ્થાપના જિન કે નામજિનને બતાવતો નથી.
શબ્દનયની માત્ર ભાવનિક્ષેપાની સ્વીકૃતિને દઢ કરતાં અનેકાંત વ્યવસ્થામાં (વિશેષાવશ્યક ભાષ્યની સાક્ષી આપીને) કહ્યું છે કે,
नामादयो न कुंभा तक्कज्जाकरणओ पडाइव्व। पच्चक्खविरोहाओ तल्लिगाभावओ वा वि।। विशे.भा. २२२९।।
- નામઘટ, દ્રવ્યઘટ કે સ્થાપના ઘટ નથી. (વિદ્યમાન નથી, કારણ કે, ઘટનું જે જલાહરણાદિ કાર્ય છે, તે નામાદિ ઘટ નથી કરતા. જેમ પટ જલાવરણાદિ કાર્ય કરતો જોવા મળતો ન હોવાથી તેનો “ઘટ'' શબ્દથી વ્યપદેશ થતો નથી. તેમ નામાદિ ઘટ પણ તે વિવલિત કાર્ય કરતો ન હોવાથી ઘટ છે જ નહીં. તદુપરાંત, નામાદિ ઘટને ઘટના રૂપમાં માનવાથી પ્રત્યક્ષથી વિરોધ પણ આવે છે અને જલાવરણાદિ લિંગ પણ જોવા નથી મળતું. અર્થાત્ નામઘટ, સ્થાપના ઘટ અને દ્રવ્યઘટ પ્રત્યક્ષથી અઘટ રૂપમાં જોવા મળે છે, તો પણ તેને ઘટરૂપમાં વ્યપદેશ કરવો, તે પ્રત્યક્ષ વિરોધ છે તથા ઘટનું જે જલાહરણાદિ લિંગ છે, તે લિંગ પણ નામઘટાદિમાં જોવા નથી મળતું તેથી અનુમાનથી પણ વિરોધ આવે છે. તેથી તે નામાદિ ઘટ “ઘટ” એવા વ્યપદેશનું ભાન કઈ રીતે થઈ શકે ?73) પ્રશ. “ઘટ” પદથી નામાદિ ઘટની ઉપસ્થિતિ અખ્ખલિત રૂપથી થતી જોવામાં આવે છે, તેથી નામાદિ ઘટમાં “ઘટ'' પદની શક્તિ છે. તેથી “ઘટ' પદથી કેવળ ભાવઘટ જ ગ્રહણ થાય અને નામાદિ ઘટ ગ્રહણ ન થાય, એવું કેમ? 73. नाम-स्थापना-द्रव्यरुपा: कुम्भा न भवन्ति, जलाहरणादितत्कार्याकरणात्, पटादिवत्, तथा प्रत्यक्षविरोधात् तल्लिङ्गादर्शनाच्च। (अनेकांतव्यवस्था)