________________
૧૬૬
જેનદર્શનના મહત્ત્વના સિદ્ધાંતો
સૂત્રમાં જુસૂત્રનય દ્રવ્યાવશ્યકને પણ માન્ય રાખે છે, એવું કહ્યું છે, તે પાઠ સાથે આ તર્કવાદીઓને ઉપરોક્ત માન્યતા સ્વીકાર કરવાથી વિરોધ આવે છે. અનુયોગદ્વાર સૂત્રનો પાઠ આ પ્રમાણે છે :“જુસૂત્રનયની દષ્ટિએ અનુપયોગી એક વક્તા હોય, તો તે એક દ્રવ્યાવશ્યક કહેવાય છે. ભિન્ન ભિન્ન અનેક દ્રવ્યાવશ્યક આ નય ઈચ્છતો નથી.” આ પંકિતનો અર્થ એવો થાય છે કે અનેક દ્રવ્યાવશ્યક નથી પણ એક વક્તા હોય અને તે અનુપયોગી હોય તો તેને એક દ્રવ્યાવશ્યક કહેવાય છે. પરંતુ જો ઉપયોગપૂર્વક વક્તા કથન કરતો હોય, તો ભાવાવશ્યક કહેવાય છે.) એવું ઋજુસૂત્રનય માને છે. આ રીતના અનુયોગદ્વાર સૂત્રના પાઠ સાથે આ તર્કવાદી આચાર્યોનો અભિપ્રાય વિરોધ પામે છે. કારણ કે, તર્કવાદી આચાર્ય ભગવંતોના અભિપ્રાય મુજબ 28 જુસૂત્રનય પર્યાયાર્થિકમાં અંતર્ગત હોવાથી દ્રવ્યાવશ્યકને ન માને અને અનુયોગદ્વારના આ પાઠમાં દ્રવ્યાવશ્યકને માને છે એમ કહ્યું છે, જેનાથી તેમને પાઠનો વિરોધ આવે છે.
તર્કવાદી આચાર્ય ભગવંતોના અભિપ્રાય અનુયોગદ્વારસૂત્રનો ઉપરોક્ત પાઠ સંગત નથી થતો. આ જ વાત ગ્રંથકારશ્રી ટબામાં વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે, (66) ત્રણ પ્રકારનાં દ્રવ્યાંશ હોય છે. આ ત્રણમાંથી એક પણ દ્રવ્યાંશને આ ઋજુસૂત્રનય તેને અભિપ્રાયથી સ્વીકાર કરતો નથી. તે આ પ્રકારે - (૧) વર્તમાનકાળના પર્યાયનો આધારભૂત એવો જે દ્રવ્યાંશ છે તે (૨) કાલક્રમાનુસાર ક્રમશઃ પૂર્વાપર રૂપે થતા એવા પરિણામોમાં (પર્યાયોમાં) વર્તિત સાધારણ એવો ઉર્ધ્વતા સામાન્યરૂપ જે દ્રવ્યાંશ છે 66. वर्तमानपर्यायाधारांशः द्रव्यांशः पूर्वापरपरिणामसाधारण उर्ध्वतासामान्यः द्रव्यांशः, सादृश्यास्तित्वरुपतिर्यक्सामान्यः द्रव्यांश:, एहमां एकई पर्यायनय न मानइ - तो ऋजुसूत्र पर्यायनय कहतां, ए सूत्र किम मिलइ, ते माटई - "क्षणिकद्रव्यवादी सूक्ष्म ऋजुसूत्र, तत्तद् - वर्तमानपर्यायापन्नद्रव्यवादी स्थूल ऋजुसूत्रनय कहवो" इमे सिद्धान्तवादी कहइ छ।।