________________
નયવાદ
૧૫૭
સ્વીકારે છે. (કારણ કે, ઋજુસૂત્રનય અતીતકાલાવચ્છિન્ન અને અનાગતકાલાવચ્છિન્ન વસ્તુનો વ્યવચ્છેદપરક છે.)
જૂસૂત્રનયની માન્યતા જણાવતાં9) નયકણિકામાં જણાવ્યું છે કે, જુસૂત્રનય અતીત કે અનાગતકાલીન વસ્તુને વસ્તુના રૂપમાં સ્વીકાર નથી કરતો. પરંતુ માત્ર વર્તમાનકાલીન અને નિજ (વકીય) વસ્તુને જ વસ્તુના રૂપમાં સ્વીકાર કરે છે. જેમ કે, આકાશકુસુમ અસતું હોવાથી તેનાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, તેમ અનાગતકાલીન, અતીતકાલીન અને પરકીય વસ્તુથી પણ કોઈ કાર્યની સિદ્ધિ થતી ન હોવાથી તે વસ્તુરૂપ નથી.
(60) નય રહયમાં જુસૂત્રનયની માન્યતાને સ્પષ્ટ કરતાં ખુલાસો કર્યો છે કે, જો વ્યવહારનય “સામાન્ય” વ્યવહારનું અંગ ન હોવાથી તેનો સ્વીકાર કરતો નથી, તો પછી જે વસ્તુ પરકીય છે, અનાગતકાલીન છે અને અતીતકાલીન છે, તેનાથી પણ કોઈપણ પ્રકારનો વ્યવહાર (વર્તમાનમાં) થતો નથી, તો પછી તેને કેમ વસ્તુના રૂપમાં સ્વીકારે છે? તેથી જે વસ્તુનો વર્તમાનના વ્યવહારમાં ઉપયોગ થઈ શકતો નથી, એવી અનાગત-અતીત-પરકીય વસ્તુને વસ્તુરૂપમાં ન માનવી જોઈએ. એવો જુસૂત્રનયનો મત છે. આ જ વાતને વધારે સ્પષ્ટ કરીને 61) અનેકાંત વ્યવસ્થા અને નયોપદેશગ્રંથમાં જણાવ્યું છે.
59. ત્રગુસૂત્રની વસ્તુ નાતીત નાગનાત | મન્યતે વત્ત વિનુ વર્તમાન તથા નિનમ્ II II अतीतेनानागतेन परकीयेन वस्तुना न कार्यसिद्धिरित्येतदसद्गगनपद्मवत् ।।१२।। (नयकर्णिका) 60. व्यवहारो हि सामान्य व्यवहारऽनङ्गत्वान्न सहते, कथं तर्हि अर्थमिति परकीयं अतीतमनागतं चाप्यभिधानमपि तथाविधार्थवाचकं ज्ञानमपि च तथाविधार्थविषयमविचार्य सहेत? इत्यस्याभिमान: (नयरहस्य)61. ऋजुत्वं चैतदभ्युपगतवस्तुनोऽवर्तमानपरकीयनिषेधेन प्रत्युत्पन्नत्वम्।अतीतमनागतं परकीयं च वस्त्वेतन्मते वक्रं, प्रयोजनाकर्तुत्वेन परधनवत् तस्यासत्त्वात्, स्वार्थक्रियाकारित्वस्यैव स्वसत्तालक्षणत्वात्। अत एव व्यवहारनयवादिनं प्रति अयमेव पर्यनुयुङ्क्ते - 'यदि व्यवहारानुपयोगाद्नुपलम्भाच्चसङ्ग्रहनयसम्मतंसामान्यं त्वं नाभ्युपगच्छसि, तदा तत एव हेतुद्वयात्गतमेष्यत्परकीयं च वस्तु नाभ्युपगमः। न हि तैः कश्चिद् व्यवहारः क्रियते उपलब्धिविषयीभूयते वा। वासनाविशेषजनितो व्यवहारस्तु सामान्येऽप्यतिप्रसज्यत इति यत् स्वकीयं साम्प्रतकालीनं च तद्वस्तु (अनेकांतव्यवस्था)।